પાટણમાં જર્જરીત મકાનો ઉતારવા રહીશો દ્વારા પાલિકામાં સ્થાનિકોની રજૂઆત

પાટણ
પાટણ

પાટણ શહેરના ચાચરીયા વિસ્તારમાં મોટા ચાચરિયાના પાડા ખાતે કેટલાક જૂના મકાનો જર્જરિત થઈને પડવાના વાંકે ઉભા હોય ગમે ત્યારે જાનહાની સર્જાય તેવી શકયતાઓ રહેલી હોય અહીંના રહીશો દ્વારા આવા જર્જરીત અને જોખમી મકાનને સત્વરે ઉતારી લેવા પગલાં ભરવામાં આવે તે માટે પાટણ નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી હતી.

પાટણ શહેરના ચાચરિયા મોટાપાડાના નાકે સો વર્ષ જેટલા પ્રાચીન ત્રણ મકાનો જે જર્જરીત થઈ ગયેલ છે અને વર્ષોથી ખાલી પડેલ છે, તેમાં કોઈ રહેતું નથી. તેમાંથી એક મકાનમાં તો તાજેતરમાં લગ છુટી પડી જતાં અહીંના રહીશોમાં ચિંતાની લાગણી જન્મી છે. આ જર્જરીત મકાનો ગમે ત્યારે પડી જાય તેવી શક્યતાઓ રહેલી હોય તેનાથી અહીંના રહીશોના જાણમાં નુકસાન તેમજ જાનહાની થાય તેવી ભીતિ રહેલ છે. જેથી સ્થળ તપાસ કરી કરાવી સત્વરે આ જર્જરીત મકાનો ઉતારી આપવા માગણી કરવામાં આવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.