ઉંઝા પંથકમાં વરસાદી છાંટણાં : માર્કેટ યાર્ડમાં માલો સુરક્ષિત

પાટણ
પાટણ

ઉંઝા પંથકમાં આજે બપોર પછી એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો. વાદળછાયું વાતાવરણ રહેવા પામ્યું હતું. જોરશોરથી પવન ફૂંકાયા બાદ કમૌસમી વરસાદના છાંટા પડયા હતા. આ વાતાવરણના પલટાતા ગરમીમાં રાહત જોવા મળી હતી. વરસાદી છાંટા પડતાં ઉઝા માર્કેટ યાર્ડમાં મુકેલ માલોને ખેડૂતોએ અગમચેતીના ભાગરૂપે તાડપત્રીથી ઢાંકી દેવામાં આવ્યા હતા. જેથી કોઈ પણ નુકશાન થયેલ નથી. આ વરસાદી વાતાવરણથી કાળઝાળ ગરમીમાં રાહત જોવા મળી હતી. ઉનાવા એપીએમસીમાં શેડની બહાર પડેલ તમાકુના માલો માં વરસાદી છાંટા પડતાં દોડધામ મચી હતી. વાદળ છાયા વાતાવરણથી કાળઝાળ ગરમીમાં રાહત રહી હતી જ્યારે ઉકળાટ યથાવત રહેવા પામ્યો હતો. જ્યારે સિદ્ધપુરમાં પણ વરસાદના છાંટણાં જોવા મળ્યા હતા. જોકે રવિવારની રજા હોવાથી માર્કેટ યાર્ડમાં માલો સુરક્ષિત રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.