રાધનપુર પાલિકાએ ગટરના સિલિટિંગ બાબતે નેશનલ હાઇવે ઓથોરિટીને નોટિસ ફટકારી

પાટણ
પાટણ

રખેવાળ ન્યુઝ, રાધનપુર : રાધનપુરમાં હાઇવે વિસ્તારમાં નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા ફોરલાઇન રોડ બનાવ્યા બાદ રોડની બંને બાજુ મોટી ગટરો બનાવી હોવા છતાં સમયસર સાફ કરવામાં આવતી ના હોવાથી વરસાદી પાણી હાઇવે વિસ્તારની સોસાયટી ઓમાં ઘુસી જતાં હોવાથી પાલિકા દ્વારા નેશનલ હાઇવે ઓથોરિટી ને નોટિસ ફટકારીને તાત્કાલિક નેશનલ હાઈવેની બંને બાજુ આવેલી ગટરો સાફ કરવા માટે નોટિસ ફટકારી છે. પાલિકા પ્રમુખ મહેશભાઈ અદા દ્વારા નેશનલ હાઇવે ઓથોરિટીને ફટકારવા માં આવેલી નોટિસ માં નેશનલ હાઇવે ૨૭ઉપર કી.મી. ચેનેજ ૪૨૭ થી ૪૮૩ માં વરસાદી પાણીના નિકાલની ગટર સિલિટિંગ થયું હોવાનું જણાવી નેશનલ હાઈવેની ગટરો સફાઈ કરવામાં આવતી ના હોવાથી વરસાદી પાણીનો નિકાલ કરી શકતી નથી, જેના કારણે ગટરના પાણી ઓવરફ્લો થઈને રસ્તાઓ ઉપર તેમજ સરકારી રેસ્ટહાઉસ, ભણસાલી ટ્રસ્ટ, શીશુમંદિર, ચામુંડા સોસાયટી, વલ્લભનગર, ગાયત્રી મંદિર બાજુનો વિસ્તાર, ગ્રીનપાર્ક સોસાયટી, માર્કેટયાર્ડ સહીતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાય છે. આ પાણી ભરાવાના કારણે ટ્રાફિકને અડચણ થાય છે અને રોડ તૂટતાં ગંભીર સમસ્યાઓ ઉભી થઈ છે.
જેથી તાત્કાલિક નેશનલ હાઇવેની બંને બાજુની ગટરો સાફ કરાવવા નહી તો નગરપાલિકાના નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.