![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/07/22.jpg)
પાટણના હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીનું વર્ષ ના બગડે તે માટે રજૂઆત કરાઇ
યુનિવર્સિટી દ્વારા સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ પૂર્ણ કરવા માટે સમય મર્યાદા પૂર્ણ થઈ ગયેલ હોય તેવા વિદ્યાર્થીઓને અભ્યાસ પૂર્ણ કરવા માટે એક તક આપી પરીક્ષાઓ લેવામાં આવી રહી છે.બીજા તબક્કાની પરીક્ષાઓ શરૂ થનાર હોય તેમની પરીક્ષાઓની સાથે કોલેજોમાં રેગ્યુલર અભ્યાસ કરતા અનુસ્નાતક સેમ 4 અને સ્નાતક સેમ 6 માં (અંતિમ વર્ષ)માં નાપાસ થયા હોય તેવા વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવે તો તેવો જુલાઈ મહિનાની અંદર પરીક્ષા આપી પાસ થાય તો નવીન શૈક્ષણિક વર્ષમાં પ્રવેશ મેળવી શકે અને તેમનું સમગ્ર વર્ષ બગડતું અટકી શકે છે. જેથી યુનિવર્સિટી દ્વારા સ્નાતક અનુસ્નાતકના અંતિમ વર્ષના રેગ્યુલર વિદ્યાર્થીઓની પણ પરીક્ષાઓ લેવામાં આવે તેવી માંગ સાથે કુલપતિ ડૉ. રોહિત દેસાઈને રજૂઆત કરવામાં આવી હતી.