રાધનપુર પાલિકાની સામાન્ય સભાના ઠરાવો સાથે ચેડાં થવાની સંભાવના અંગે રજુઆત કરાઈ

પાટણ
પાટણ

રખેવાળ ન્યુઝ રાધનપુર  : રાધનપુર પાલિકાની સામાન્ય સભા ગત તા.૧૧ સપ્ટેમ્બરના રોજ મળી હતી,અને આજદિન સુધીમાં આ સભાના ઠરાવો ઠરાવબુકમાં ના લખાયા ના હોવાથી તેની સાથે ચેડાં થવાની સંભાવના વ્યક્ત કરતી રજુઆત પાલિકાના ભાજપના સદસ્ય અંકુરભાઈ જોશીએ શહેરી વિકાસ વિભાગના સચિવ સહીત ઉચ્ચ કક્ષાએ કરી છે.આ રજુઆતમાં જણાવ્યા મુજબ પાલિકાના ચીફ ઓફિસરના સેનીટેશન વિભાગના રુ.૬૦ લાખના થયેલા ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવાના હોવાથી ચીફ ઓફિસર સભામાં ગેરહાજર રહ્યા હતા. ચીફ ઓફિસર પ્રજ્ઞાબેન કોડિયાતર પોતાની અંગત અદાવતને કારણે સેનેટરી ઇન્સ્પેક્ટર પ્રશાંત સોની અને પ્રકાશપુરી ગોસ્વામીને હેરાન કરવા ઠરાવો સાથે ચેડાં કરીને ઠરાવો લખવા માંગે છે.જો સભા દરમ્યાન લખાયેલ
કાચા ઠરાવોને બદલે બીજા ઠરાવો લખવામાં આવશે તો તેની કાનૂની અને ફોઝદારી જવાબદારી પ્રમુખ,ચીફ ઓફિસર અને સિનિયર ક્લાર્કની રહેશે. આ ઉપરાંત ગત સામાન્ય સભા અને અગાઉની ત્રણ વર્ષની સામાન્ય સભાના ઠરાવોની નકલ પણ માંગવામાં આવી છે.
પાલિકાના ભ્રષ્ટાચારીઓને એક દિવસ કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવો પડશે તેમ પણ રજુઆતમાં જણાવ્યું છે


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.