![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/02/13.jpg)
સમીના અનવરપુરામાં પાણીનું ટેન્કર આવતાં પાણી માટે લોકોના પડાપડી
એક તરફ સરકારની નલ સે જલ યોજના અંતર્ગત દરેક ગામમાં પીવાનું પાણી ઘર સુધી પહોંચી રહ્યું છે ત્યારે સમી તાલુકાના અનવરપૂરા ગામ ખાતે નલ સે જલ યોજના પોકળ સાબિત કરતા દૃશ્યો સર્જાયા હતા અને તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. ગામનાં લોકો કહી રહ્યા છે કે પાણીનો નળ ઘર સુધી ના પહોંચે તો ચાલશે પરંતુ ગામમાં બોરની વ્યવસ્થા કરાવો જેથી ગામમાં પાણીની સુવિધા ઉપલબ્ધ થાય પરંતુ આ દ્રશ્યો સમી તાલુકાનાં અનવરપૂરા ગામનાં જોતા જ તંત્ર ની કામગીરી કે લાપરવાહી વગેરે સવાલો ઉભા થયા છે અને હાલતો મહિલાઓ મોટી સંખ્યામાં પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે.સરકારની નલ સે જલ યોજના અમલમાં હોવા છતાં તંત્રની લાપરવાહીને લઇને પીવાના પાણીની વિકટ સમસ્યા હજુ પણ યથાવત જોવા મળી રહી છે.સમી તાલુકાના અનવરપૂરા ગામ ખાતે પીવાના પાણીની વિકટ સમસ્યા સામે આવી છે.જ્યાં ગામનાં લોકો પીવાના પાણી માટે પરેશાન બન્યા છે અને તાત્કાલિક ધોરણે યોગ્ય વ્યવસ્થા કરવા લોક માંગ ઉઠી છે.પાટણ જિલ્લાના સમી તાલુકાના અનવરપૂરા ગામ ખાતે મહિલાઓને પીવાના પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે. અને ગામમાં પાણીની વિકટ પરિસ્થિતિ જોવા મળી રહી છે. તેમજ પીવાનાં પાણી માટે લોકોની પડાપડી જોવા મળી રહી છે.ત્યારે સરકારની નલ સે જલ યોજના પોકળ સાબિત કરતા આ દૃશ્યો છે સમી તાલુકાના અનવરપૂરા ગામનાં જ્યાં પીવાના પાણીની વિકટ પરિસ્થિતિ નું નિર્માણ જોવા મળી રહ્યું છે.
ગામ તળાવથી લઈને ખેતરથી લઈને કેનાલો સુધી ક્યાંય પાણી જોવા નહિ મળતા ગામ લોકો પરેશાન બન્યા છે અને સતત ત્રણ કલાક સુધી પાણીની રાહ જોઈને બેસી રહેલ મહિલાઓ પીવાના પાણીનું ટેન્કર આવતાની સાથેજ પીવાના પાણી માટે વલખા મારતી નજરે પડી રહી છે.ટેન્કર આવતાની સાથેજ પીવાના પાણી ભરવા માટે ગામમાં મહિલાઓની પડાપડી થઇ રહી છે.અનવરપૂરા ગામની મહિલાઓ પોતાની આપવીતી જણાવી રહી છે.જેમાં કેશરબેન, સુરેખાબેન રાવળ અને કંકુબેન જણાવ્યું હતું કેઅમારા ગામમાં સરકાર ની યોજના જે નલ સે યોજના છે તે પાણી ઘર સુધી નહિ પહોંચે તો ચાલશે પણ ગામમાં બોર ની વ્યવસ્થા કરાવો આ દ્રશ્યો અને અનવરપૂરા ગામનાં જયાં મહિલાઓ મોટી સંખ્યામાં પીવાના પાણી માટે વલખા મારતા જોવા મળી રહી છે તે વિષય પર તાત્કાલિક ધોરણે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરી હતી.સરકારની નલ સે જલ યોજના અમલમાં હોવા છતાં તંત્રની લાપરવાહીને લઇને પીવાના પાણીની વિકટ સમસ્યા હજુપણ અનવરપૂરા ગામમાં યથાવત જોવા મળી રહી છે. પીવાના પાણી માટે લોકો મોટી સંખ્યામાં પડાપડી કરી રહ્યા છે.ત્યારે પાણી પુરવઠા વિભાગ હોય કે સ્થાનિક ગ્રામ પંચાયત જે તે તંત્ર દ્વારા સત્વરે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી રહી છે.અને પીવાના પાણી માટે ગામની મહિલાઓ સરકારશ્રીને વિનંતી કરી પીવાનું પાણી પહોંચાડવાની વાત કરી રહી છે.