![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2020/06/Untitled-29.jpg)
પાટણઃ આજે ૨ કેસ નોંધાયા, વધુ ૧નું મોત થતા ખળભળાટ
કોરોના વાયરસે સમગ્ર દેશમાં અને દુનિયામાં હાહાકાર મચાવી દીધો છે. આ સાથે રોજ પ્રતિદિન ઉત્તર ગુજરાતમાં પણ કોરોના વાયરસના કેસ સામે આવી રહ્યા છે. આજ રોજ પાટણ માં કોરોના વાયરસના બે કેસ નોંધાયા છે. આ સાથે આજ રોજ પાટણમાં એક મહિલાનું પણ સારવાર દરમિયાન મોત નીપજ્યુ છે. પાટણમાં અત્યાર સુધી કુલ કેસ ૧૦૫ સામે આવ્યા છે. કોરોનાએ પાટણમાં કુલ ૯ લોકોના ભોગ લીધા છે.
પાટણમાં આજે વધુ ૨ કોરોનાના રીપોર્ટ પોઝિટીવ આવ્યા છે. અને આ સાથે મારૂતિનગરની ૬૬ વર્ષીય મહિલાનું સારવાર દરમ્યાન મોત થયુ છે. આજે વધુ ૨ કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાં બાબુના બંગલા વિસ્તાર વાળી દર્દી કીડની હોસ્પિટલ અસારવા ખાતેદાખલ છે. બી.જે મેડિકલ કોલેજમાં તેમનો રીપોર્ટ પોઝિટિવ આવેલ છે.દર્દીને કીડનીની બિમારી હોવાથી ત્યાં સારવાર ચાલે છે. રાધનપુરવાસ બળીયાપાડો વિસ્તારની દર્દીને નવરંગપુરા અમદાવાદ ખાતે પ્રાવેઇવેટ હોસ્પિટલમાં દાખલ છે. તેમનો પોઝિટિવ રીપોર્ટ પાન.જીનોમિક ઇન્ટરનેશનલ પ્રા.લી.અમદાવાદની લેબોરેટરીમાં પોઝિટિવ આવેલ છે. આ સાથે પાટણમાં કુલ કોરોનાના ૧૦૫ કેસ નોંધાયા છે. પાટણામાં વધતા કેસ જોઇને આરોગ્ય તંત્રમાં હડકંપ મચી જવા પામી છે.
બનાસકાંઠા જીલ્લાના દિયોદર તાલુકામાં વધુ એક કોરોનાનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે દિયોદરમાં વધતાં
કેસોને જોઇ આરોગ્યતંત્રમાં દોડધામ મચી જવા પામી છે. દિયોદર ઓગડ નાથ સોસાયટીમાં એક પોઝીટીવ કેશ આવતા આરોગ્ય વિભાગ દોડતું થયુ છે. છગનભાઈ ખત્રી નામના વૃદ્ધને કોરોના પોઝીટીવ આવ્યો છે. દિયોદરમાં અત્યાર સુધી કુલ કોરોનાના કેસ ૧૧ થયા છે.