![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/08/08-17.jpg)
પાટણના આરોપીઓની ચાર પૈકી ત્રણ જામીન અરજીઓ પાટણ સેસન્સ કોર્ટે ફગાવી,
પાટણ તાલુકાનાં બાલીસણા ગામે તાજેતરમાં થયેલા હુલ્લડનાં મામલામાં નોંધાયેલી ફરીચાદમાં હુમલો અને આઈપીસી 307 નાં કેસમાં પકડાયેલા સંખ્યાબંધ આરોપીઓ પૈકી કેટલાકે પાટણની સેસન્સ કોર્ટમાં ચાર અલગ અલગ જામીન અરજીઓ મુકી છે જેમાંથી ત્રણ જામીન અરજીઓ પાટણનાં સેસન્સ જજ બી.કે. બારોટે નામંજુર કરી છે અને એક જામીન અરજી મંજુર કરી છે.બાલીસણાકાંડનાં આરોપીઓને એક પછી એક તબક્કાવાર પકડીને પાટણની જ્યુડીસીયલ કસ્ટડીમાં મોકલાયા હતા. તેઓ પૈકી છ આરોપીઓએ પોતાનાં એડવોકેટ યુસુફભાઇ શેખ મારફત પાટણની સેસન્સ કોર્ટમાં નિયમિત જામીન અરજીઓ મુકતાં કોર્ટે બંને પક્ષોની રજુઆતો સાંભળીને ચાર પૈકી ત્રણ જામીન અરજીનાં ચાર આરોપીઓની અરજી ફગાવી હતી. જ્યારે એક અરજીનાં બે આરોપીઓની મંજુર કરી હતી. જે આરોપીઓની જામીન અરજી કોર્ટે નામંજુર કરી હતી. તેમાં સરકારી વકીલે રજુઆત કરી હતી. તથા જે બે આરોપીને જામીન મુક્ત કરાયા હતા તેઓને રૂા.25000- 25000નાં જામીન પર મુક્ત કર્યા હતા.