![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2020/05/8dbbc3bc-821a-43f5-ada9-0a5063ba8e60.jpg)
પાટણઃ મોટાભાગના દર્દીઓ સાજા, માત્ર ૦૫ સારવાર હેઠળ
રખેવાળ, પાટણ
પાટણ જિલ્લામાં COVID19 પોઝીટીવ કેસની સંખ્યા ૨૬ પર પહોંચી છે. જે પૈકી ધારપુર જનરલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવેલા ૨૩ દર્દીઓ પૈકી સારવાર બાદ અત્યાર સુધીમાં ૧૭ વ્યક્તિઓને ડીસ્ચાર્જ કરવામાં આવતાં હવે માત્ર ૦૫ દર્દીઓ સારવાર હેઠળ છે. પાટણ જિલ્લાના અને અમદાવાદ ખાતે COVID19 પોઝીટીવ આવનાર ૦૩ દર્દીઓ પૈકી ૦૨ દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
ધારપુર જનરલ હોસ્પિટલના મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફની સતત જહેમત અને શ્રેષ્ઠ સારવારના પરીણામે ખુબ સારા રીકવરી રેટ સાથે દર્દીઓ કોરોના મુક્ત થઈ રહ્યા છે. હાલ કોવિડ હોસ્પિટલ તરીકે કાર્યરત ધારપુર જનરલ હોસ્પિટલ ખાતે અત્યાર સુધીમાં ૨૩ COVID19 પોઝીટીવ દર્દીઓને દાખલ કરવામાં આવ્યા હતા. જેમાંથી ૧૭ દર્દીઓને સારવારના અંતે કોરોના મુક્ત કરી તેમના ઘરે જવા રજા અપાઈ છે. કોરોના વાયરસના સંક્રમણનો વ્યાપ વધી રહ્યો છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાંથી શંકાસ્પદ કોરોના વાયરસના અત્યાર સુધીમાં કુલ ૮૪૬ ટેસ્ટ સેમ્પલ લેવામાં આવ્યા છે.