માંડલ બાદ રાધનપુરમાં અંધાપાકાંડ : ઓપરેશન બાદ 7 લોકોને આંખમાં દેખાતું બંધ

પાટણ
પાટણ

માંડલ બાદ રાધનપુરમાં અંધાપાકાંડ થયો છે. જેમાં રાધનપુરમાં ઓપરેશન બાદ દર્દીઓને આંખમાં દેખાતું બંધ થયું હતુ. તેમાં મોતીયાની સર્જરી બાદ 7 દર્દીના આંખે અંધારા છવાયા હતા. અમદાવાદ સિવિલમાં 3 પુરુષ અને 2 મહિલા દાખલ છે. તેમજ અન્ય દર્દી વિસનગરની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.હાલ દર્દીનોની તબિયત સ્ટેબલ હોવાનો હોસ્પિટલનો ખુલાસો છે. તથા ગઈકાલે કરેલા રિપોર્ટ આજે આવતા ખુલાસો થઈ શકે છે. અગાઉ માંડલમાં થયેલા અંધાપા કાંડના દર્દીઓ પણ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે. આંખે ન દેખાતું હોવાની રાધનપુરના દર્દીઓની ફરિયાદ યથાવત છે.રાજ્યમાં ફરી એકવાર અંધાપા કાંડ સામે આવ્યો

રાજ્યમાં ફરી એકવાર અંધાપા કાંડ સામે આવ્યો છે. માંડલ અંધાપા કાંડના પડઘા શાંત નથી પડ્યા ત્યાં વધુ એક અંધાપા કાંડ સામે આવ્યો છે. જેમાં હવે રાધનપુરમાં અંધાપા કાંડ થયો હોવાની વિગતો સામે આવી છે. રાધનપુરમાં આવેલી સર્વોદય હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન બાદ અનેક દર્દીઓને દેખાતું બંધ થયું હોવાની ફરિયાદ સામે આવી છે. જે પછી કેટલાંક દર્દીઓને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.આ અંગેની માહિતી અનુસાર, રાધનપુરની માણેકલાલ નાથાલાલ વખારીયા સર્વોદય આંખની હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે. જેમાં બીજી ફેબ્રુઆરીના રોજ 13 ગરીબ વૃદ્ધ દર્દીઓના કરેલ મોતિયાના ઓપરેશન બાદ 7 દર્દીઓને આંખનું ઈન્ફેક્શન થતા આંખે ઓછું દેખાતા અમદાવાદ રીફર કરવામાં આવ્યા છે. મોતિયાના ઓપરેશન બાદ અનેક દર્દીઓને તકલીફ હોવાની વિગતો સામે આવી છે. જેમાં 7 દર્દીઓને અમદાવાદ સિવિલ આંખ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.