ઊંઝામાં અષાઢી ચોથના પવિત્ર દિવસે હળોતરા કરાયા

પાટણ
પાટણ

ઊંઝા તાલુકાના ધરતીપુત્રોએ પોતાના ખેતરમાં જઇ ધરતી માતાની પૂજા-અર્ચના કરી ખેતરમાં હળ લાકડું, ટ્રેક્ટર ચલાવી ખેતરમાં વાવેતર માટેની કામગીરીનું મુહૂર્ત કર્યું હતું. અષાઢી ચોથ મુહૂર્તને ખેડૂત આજે પણ જૂની સંસ્કૃતિને ભૂલ્યા નથી. હળલાકડા સાથે જોતરાતા બળદને ઘરના સભ્ય તરીકે જ પૂજે છે.

સિંચાઈની અવનવી પદ્ધતિથી તેમજ ટ્રેક્ટર દ્વારા ખેતી કરતો થયેલો ખેડૂત વર્ગ આજે પણ વડીલોની જુની પરંપરા પર અડગ છે. દર વર્ષે અષાઢ મહિનામાં હળોતરા કરી એ દિવસે ખેડૂતો નવા વર્ષની ખેતીનું શુભ મુહૂર્ત કરતો હોય છે. આધુનિક યુગમાં ખેડુત આપણા દેશની સંસ્કૃતિ પ્રમાણે મહત્ત્વને સમજી જુની પદ્ધતિ અપનાવી ખેતીકામની શરુઆત કરવામાં આવી છે‌.

ઊંઝા તાલુકાના ખેડૂતોને આજના દિવસે ખેતરમાં ધરતી માતાની પૂજા-અર્ચના કરતા કણમાંથી મણ પકવનાર સમગ્ર જિલ્લાના ધરતીપુત્રોને આવનારા નવા વર્ષમાં ખેતીલાયક વરસાદ થાય અને પાકનું મબલક ઉત્પાદન થાય તેવી શુભેચ્છા પાઠવી હતી. મળતી માહિતી મુજબ સમગ્ર ગામના ખેડૂતો એકઠા થઈ આ દિવસે પોતાના બળદોના શિંગડે રંગ રોગાન કરતા હોય છે. એકઠા મળી ખેતર ખેડવાની શરૂઆત આજના દિવસથી કરે છે. જે ખેડૂતો પાસે બળદ નથી. તેઓ ટ્રેક્ટર સાથે પણ ખેતરમાં જતા હોય છે, પરંતુ હળોતરાના દિવસે જ ખેતર ખેડવાની શરૂઆત કરતા હોય છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.