![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/07/ભાજપ-યુવા-મોરચા-hed.jpg)
ભાજપ યુવા મોરચા દ્વારા કારગીલ વિજય દિવસની પૂર્વ સંધ્યાએ ત્રણદરવાજા થી બગવાડા સુધી મશાલ રેલી યોજાઈ
તારીખ 26 જુલાઈ ને કારગિલ વિજય દિન તરીકે ઉજવવામાં આવે છે ત્યારે તેની પૂર્વ સંધ્યાએ પાટણ શહેરના ત્રણ દરવાજાથી બગવાડા દરવાજા સુધી ભારતીય જનતા પાર્ટી દ્વારા મસાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. તા. 26 મી જુલાઇએ ભારતના સૈન્ય એ પાકિસ્તાન સામે કારગિલ યુદ્ધમાં ઇ.સ. ૧૯૯૯માં વિજય હાસલ કયૉ પછી ભારતના તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ આ દિવસને કારગિલ વિજય દિન તરીકે જાહેર કર્યો હતો.
ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશભરમાં દર વર્ષે 26 જુલાઈએ કારગીલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવે છે જેના ભાગરૂપે આજે કારગીલ દિવસની પૂર્વ સંખ્યાએ પાટણ જીલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા કારગીલ વિજય દિવસની ઉજવણીના ભાગરૂપે શહેરના ત્રણ દરવાજા થી બગવાડા દરવાજા સુધી મશાલ રેલીનું આયોજન કર્યું હતું.
આ મશાલ રેલી રાજ્ય સરકારના પૂર્વ પંચાયત મંત્રી અને પાટણના પૂર્વ ધારાસભ્ય રણછોડભાઈ દેસાઈ ની આગેવાનીમાં ત્રણ દરવાજાથી નીકળી મુખ્ય બજાર માગૅ,હિંગળા ચાચર ચોક,ચતુર્ભુજ બાગ થઈ બગવાડા દરવાજા ખાતે સંપન્ન થઈ હતી.