યુનિવર્સિટીની બોર્ડ ઓફ મેનેજમેન્ટ ની બેઠકમાં નવી 8 કોલેજોને મંજૂરી અપાઈ

પાટણ
પાટણ

કર્મચારીઓની બઢતીના પ્રશ્ને સરકાર નો અભિપ્રાય મેળવી યોગ્ય કરાશે: હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે કુલપતિ ના અધ્યક્ષ સ્થાને બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠક મળી હતી જે બેઠકમાં યુનિવર્સિટીના વિકાસના વિવિધ કામો સહિત નવી 8 કોલેજો ને મંજૂરી અને કર્મચારીઓ ની બઢતી અંગે સરકાર નો અભિપ્રાય લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ ખાતે કુલપતિ ડો. કે .સી.પોરીયાની અધ્યક્ષતામાં મળેલી યુનિવર્સિટીની બોર્ડ ઓફ મેનેજમેન્ટ ની બેઠકમાં મહત્વના ૧૨ જેટલા મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં યુનિવર્સિટીએ નવી 8 કોલેજોને મંજૂરી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો .જેમાં પી જી ડી,એમ.એલ.ટી ,આર્ટસ ,કોમર્સ,સાયન્સ ,એમએસ ડબલ્યુ અને એસએનડીટી ની નવી કોલેજને મંજૂરી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત યુનિવર્સિટીમાં છેલ્લા કેટલાક દિવસોથી કર્મચારીઓ વચ્ચે બઢતીને લઈને સિન્યોરીટી આધારે બઢતી આપવી કે પરીક્ષા લઈને કર્મચારીઓને બઢતી આપી તેને લઈને વિવાદ ચાલી રહ્યો હતો છે . કેટલા કર્મચારીઓ સિનિયોરિટીના આધારે બઢતી આપવાની માંગ કરી રહ્યા છે .તો કેટલાક કર્મચારીઓ પરીક્ષાના આધારે બઢતી આપવાની માંગણી કરી રહ્યા છે.જે વિવાદને ખાળવા માટે આ મુદ્દો બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠકમાં લેવામાં આવ્યો હતો .જે બાબતે સભ્યો દ્વારા ચર્ચા વિચારણા કરવામાં આવી હતી .જેમાં કર્મચારીઓને બઢતી આપવા માટે સરકાર દ્વારા પરીક્ષા લેવાનો જીઆર કરવામાં આવેલ હોય સરકારના જી આર નું  ઉલ્લેખન ન થાય તેને ધ્યાનમાં રાખીને બોર્ડની બેઠકમાં આ બાબતે સરકારનો અભિપ્રાય લીધા બાદ કર્મચારીઓની બઢતી અંગે નિર્ણય કરવામાં આવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.