![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/08/34-7.jpg)
પાટણના પંચમુખી હનુમાનજી મંદિર પરિસર ખાતે લઘુરુદ્ર યજ્ઞનો અન્નકૂટ સાથે પ્રારંભ કરાયો
પાટણ ખાતે આવેલ પંચમુખી હનુમાન દાદા મંદિર પરિસર ખાતે વંદનીય ગુરુ નર્મદાગીરી બાપુની પાવનકારી અઘોરી મહારાજની જગ્યા પર શનિવારથી ત્રણ દિવસ ચાલનાર શ્રી શિવ હોમાત્મક મહારુદ્ર પંચ કુંડી યજ્ઞનું સુંદર આયોજન સ્વ.વનલીલા બેન શિવલાલ અમથાલાલ રાવલ પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે.ત્યારે આજરોજના દિવસે પંચમુખી હનુમાન દાદાને વિવિધ વાનગીઓનો અન્નકૂટ સાથે મહારુદ્ર યજ્ઞ નો પ્રારંભ કરવામાં આવ્યો હતો.આ મહારૂદ્ર યજ્ઞની પૂર્ણાહુતિ સોમવારના શુભ દિવસે થશે. પંચમુખી હનુમાન મંદિર ખાતે આયોજિત આ ત્રિદિવસીય ભવ્ય મહારુદ્ર યજ્ઞ ના દર્શન નો ભક્તોએ લાભ લઇ ધન્યતા અનુભવી હતી તો તમામ ભક્તો તથા સ્નેહીજનોનું યજ્ઞના આયોજક રાવલ પરિવાર દ્વારા આવકારી સ્વાગત કરવામાં આવ્યું હતું.