![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/01/06-13.jpg)
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની ખાતે કર્તવ્ય સ્તંભનું કેબિનેટ મંત્રીના હસ્તે લોકાપર્ણ કરાયું
પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા ભગવાન શ્રી રામચંદ્ર ના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ના ઉપલક્ષ્યમાં આજે કર્તવ્ય સ્થંભનું લોકાર્પણ કરવામાં આવ્યું .હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના આર.જે. કોમ્પ્યુટર સેન્ટરકેમ્પસ પાસે ના મધ્યમાં 1 ટંન પથ્થર માંથી તૈયાર કરેલું 8 ફૂટ ઉંચુ ભગવાન શ્રીરામના ધનુષ કર્તવ્ય સ્થભ સ્થાપન કરવામાં આવ્યું હતું જેનું લોકાર્પણ કેબિનેટ મંત્રી બળવતસિંહ રાજપૂત ના હસ્તે કરવામાં આવ્યું હતું..તેમણે યુવાનોને આ કર્તવ્ય સ્થંભ આગળ થી તેઓ સારા સંકલ્પ જીવન મૂલ્યો અને પોતાનું રાષ્ટ્ર, સમાજ અને કુટુંબ પ્રત્યેનું કર્તવ્ય અદા કરવાની પ્રેરણા લેવાનો અનુરોધ કર્યો હતો.
પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં આર જે કોમ્પ્યુટર સેન્ટર પાસે 1ટંન પથ્થર માંથી તૈયાર કરેલું 8 ફૂટ ઉંચુ ભગવાન શ્રીરામના ધનુષ કર્તવ્ય સ્થભ આકર્ષણ નું કેન્દ્ર બન્યું હતું.જેનો અંદાજિત ખર્ચ 2 લાખ 50 હજાર થવા જાય છે.આ પ્રસંગે કુલપતિ શ્રી રોહિત દેસાઈએ જણાવ્યું હતું કે આ કર્તવ્ય સ્થંભ યુવાનો માટે પ્રેરણા સ્થંભ છે. અહીંથી વિદ્યાર્થીઓને નવી ઉર્જા મળશે.આ પ્રસંગે કેબિનેટ મંત્રી બળવતસિંહ રાજપૂત,યુનિવર્સિટી ના કા.કુલપતિ રોહિત દેસાઈ,યુનિવર્સિટી ના કા. કુલસચિવ ડો. કે. કે. પટેલે, ભાજપ જિલ્લા પ્રમુખ દસરથજી ઠાકોર ,સહિત યુનિવર્સિટી અધ્યાપક , સ્ટાફ સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.