![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/08/21-21.jpg)
સાંતલપુર તાલુકાના જામવાળા ગામે જુની અદાવત ને લઇને ધીંગાણું ખેલાયુ
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના જામવાળા ગામે જુની અદાવત ને લઇને ધીંગાણું ખેલાયું હતું જેમા ત્રણ મહિલાઓ ઉપર હુમલો થતાં મહિલાઓ ઘાયલ થતાં ત્રણેય મહિલાઓને 108 મારફતે રાધનપુર ખાતે આવેલ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ કરાયા હતા જયાં તેઓની હાલત નાજુક જણાતા વઘુ સારવાર માટે રાધનપુર ની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. તો બનાવની જાણ પોલીસ ને થતાં તેઓએ જામવાળા ગામે પોલીસ ગોઠવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સાંતલપુર તાલુકાના જામવાળા ગામે જુની અદાવત ને લીધે સજૉયેલ ધીંગાણામાં ઠાકોર વર્ષાબેન વશરામભાઈ, ઠાકોર કમીબેન રણછોડભાઈ અને જેમીબેન મેરામભાઇ નામની ત્રણેય મહિલાઓ ઈજાગ્રસ્ત બની હતી