રાધનપુર નજીક બાઈક પર જઈ રહેલા ઈસમ ને આખલા એ હડફેટે લેતા સારવાર દરમિયાન મોત

પાટણ
પાટણ

ભીલોટ થી નોકરી પર જઈ રહેલ ઈસમને રસ્તામાં અકસ્માત નડ્યો રાધનપુર કંડલા નેશનલ હાઇવે પર ગુરૂવારની મોડી સાંજે ભિલોટ તરફ જઈ રહેલ બાઈક ચાલકને રખડતા ઢોરે અડફેટે લેતા બાઈક ચાલકનું રોડ પર પટકાતા ગંભીર ઈજાઓ પહોંચી હતી જેને મહેસાણા સારવાર અર્થે લઈ જતાં રસ્તામાં જ તેનું મોત નિપજ્યું હતું.

આ બાબતે મળતી હકીકત મુજબ રાધનપુર તાલુકાના ભિલોટ ગામના વતની ચૌધરી નાથાભાઈ કાળાભાઈ ઉ. વ. 64 ગુરૂવારના મોડી સાંજે રાધનપુર નોકરી પર આવી રહ્યા હતા તે દરમિયાન રાધનપુર નજીક પહોચતાજ રસ્તા પર ના આખલા એ અચાનક રસ્તા વચ્ચે આવી જતા બાઈક ચાલક રસ્તા પર પર પટકાતા શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી જેને સ્થાનિક લોકો દ્વારા એકત્ર થઇનેં સારવાર અર્થે રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જયાં તેઓની હાલત નાજુક જણાતા વધુ સારવાર અર્થે મહેસાણા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા તે દરમિયાન રાધનપુરથી મહેસાણા પહોચે તે પહેલા રસ્તામાં જ ઇજાગ્રસ્ત નું મોત નિપજતા સ્થાનિક પોલીસ દ્વારા આકસ્મિક મોત નો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી.

પાટણ શહેરની સમગ્ર જિલ્લામાં રખડતા ઢોરોનો ત્રાસ વધ્યો હોય રખડતા ઢોરોની હડફેટે વધુ એક નો ભોગ લેતાં લોકો મા રખડતાં ઢોર મામલે રોષની લાગણી ફેલાઈ જવા પામી છે. તંત્ર દ્વારા રખડતાં ઢોર મામલે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી લોક માગ પ્રબળ બની છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.