પાટણ રેલવે સ્ટેશન પર વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યુ
અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત રૂ।.34 કરોડના ખર્ચે પાટણ રેલવે સ્ટેશનને આધુનિક સુવિધાઓ સાથે રાણીની વાવની થીમ પર નવીન રેલ્વે સ્ટેશન બનાવવાનું કામ મંજુર થયું છે. જે રેલવેના અધિકારીઓ દ્વારા રેલ્વે સ્ટેશનના નવીનીકરણ માટે માપણી અને માર્કિંગની કામગીરી હાથ ઘરવામાં આવી છે. અને માપણી બાદ તેના પ્લાન અને ડિઝાઈન બનાવી આગળની કામગીરી શરૂ કરાશે.ત્યારે રેલ્વેનાં જનરલ મેનેજરે પાટણ સ્ટેશનની ટૂંકી મુલાકાત લઇને વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યુ હતું.પાટણનાં રેલ્વે સ્ટેશને રેલ્વેનાં જનરલ મેનેજર ગુપ્તા સ્ટાફે એકાએક ઓચિંતી મુલાકાત લીધી હતી. તેઓ પાટણ સ્ટેશને ખબ જ ઓછા સમય માટે રોકાઈને અત્રેનાંઅધિકારી -કર્મચારીઓ પારથી સમગ્ર રેલ્વે સ્ટેશનની વ્યવસ્થા અને પરિસ્થિતિની સમીક્ષા કરીને જાણકારી મેળવી હતી.
પાટણ રેલ્વે સ્ટેશનનાં રૂા. 34 કરોડનાં ખર્ચે જ્યારે નવીનીકરણ થવા જઇ રહ્યું છે ને તેને લગતી કામગીરીનો ખાસ કરીને પાટણ સ્ટેશનનાં જુના માળખાને તોડવાની કામગીરીનો પ્રારંભ થયેલો છે. ને ગઈકાલે તથા આજે એન્જિનિયરોએ નવા રેલ્વે સ્ટેશનનાં બિલ્ડીંગનાં બાંધકામ માટેની જગ્યાઓનાં માપ લેવાની, માર્કિંગ કરવાની અને ડિમાર્કિંગ કરવાની તથા સૂચિત બાંધકામવાળા સ્થળે સફેદ ડિમાર્કિંગ કરવાની કામગીરીની પણ જાણકારી મેળવી હોવાનું જાણવા મળ્યું છે.અત્રે નોંધનીય છે કે, રેલ્વેનાં જનરલ મેનેજરે અત્રેની મુસાફરોને અનુરુપ વ્યવસ્થાઓની પૂછપરછ કરી સમગ્ર ન વિસ્તારનો તાગ મેળવ્યો હતો. જો કે, અહીં કોઈ સુચનો થયા નથી. જાણવા મળ્યા પ્રમાણે જનરલ મેનજરે પાટણ સ્ટેશનનાં સૂચિત અને એપ્રોક્ષીમેન્ટ નકશા અને પ્લાન લે આઉટનું પણ નિરીક્ષણ કર્યું હતું. જનરલ મેનેજર એક ખાસ એન્જીન જેવા ટ્રેન વાહનમાં આવ્યા હતા અને પાટણ સહિત અન્ય સ્ટેશનોની પણ મુલાકાતે ગયા હોવાનું જાણવા મળ્યું હતું