ચાણસ્મામાં ઇન્દિરાનગરના સોસાયટી વરસાદી પાણી ભરાતાં મચ્છરોનો ઉપદ્રવ

પાટણ
પાટણ

ચાણસ્મામાં ઉગમણા દરવાજા બહાર રૂપેશ્વર રોડ ઇન્દિરા નગરના પાછળના ભાગમાં વરસાદી પાણીના ખાબોચિયા ભરાતાં મચ્છરોનો ઉપદ્વવ થતાં આજુબાજુના રહીશોમાં રોગચાળો ફેલાવવાની ચિંતા વ્યક્ત કરી છે. પાલિકા દ્વારા દવા છંટકાવ કરવામાં આવે મચ્છરો ના થાય તે માટે દવા પાવડર નો છંટકાવ કરવામાં આવે તેવી માગ ઉચ્ચારી છે.ઉગમણા દરવાજા બહાર રહેતા જણાવ્યું હતું કે વિસ્તારમાં વરસાદી પાણી નિકાલની વ્યવસ્થા ન હોવાથી વરસાદી પાણી ભરાઈ રહે છે અને હાલમાં તેમાં મચ્છરોનો ઉપદ્રવ વધી જતાં મચ્છરજન્ય રોગચાળો ફેલાવાની દહેશત સેવાઈ છે. નગરપાલિકા દ્વારા મચ્છરોનો નાશ થાય તે માટે પોરાનાશક દવાઓનો છંટકાવ કરવાં માંગ છે રૂપેશ્વર વિસ્તારમાં રહેતા મુકેશભાઈ પિત્રોડા, કરમશીભાઈ દેવીપુજકે જણાવ્યું હતું કે અમારા વિસ્તારમાં વરસાદી પાણીનો નિકાલ ન હોવાથી વરસાદી પાણી અને ઊભરાતી ગટરનું પાણી ભરાઈ રહે છે અને આ દુર્ગંધ મારતાં પાણીમાં મચ્છરોનો ઉપદ્રવ વધી જતાં રૂપેશ્વર આજુબાજુ 10થી 12 સોસાયટીમાં રોગચાળો ફેલાઈ શકે તેવી ચિંતા વ્યક્ત કરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.