પાટણની રાજપુત કુમાર છાત્રાલય ખાતે લાઈબ્રેરીનું ઉદ્ધાટન

પાટણ
પાટણ

પાટણ ખાતે ઉત્તર ગુજરાત રાજપૂત સમાજ ટ્રસ્ટ સંચાલિત દાનસિંહજી સત્યાર્થી રાજપુત કુમાર છાત્રાલય ખાતે પોલીસ રાજપૂત પરિવારના સહયોગથી બનવવામાં આવેલી નવીન રીડિંગ લાઇબ્રેરીનો ઉદ્ધાટન સમાંરોહ, વાલી મીટિંગ અને પોલીસ ખાતામાં એ એસ આઈ માંથી પીએસઆઈનું પ્રમોશન મેળવેલ અધિકારીઓનો સન્માન સમારોહ શ્રી ઉત્તર ગુજરાત રાજપૂત સમાજના પ્રમુખ જયરાજસિંહ પરમાર, પાટણ શહેર રાજપૂતના પ્રમુખ જિલુભા વાઘેલા, સરકારી વકીલ પી પી રાણા, પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓ અને સમાજના પ્રબુદ્ધિ નાગરિકો અને હોસ્ટેલ સંચાલન સમિતિના સભ્યો અને રાજપૂત સમાજના અગ્રણીઓની ઉપસ્થિત વચ્ચે ઉજવવામાં આવ્યો હતો.

આજના કાર્યક્રમમાં ઉત્તર ગુજરાત રાજપૂત સમાજ ટ્રસ્ટના પ્રમુખ જયરાજસિંહ પરમારે પાટણમાં બનેલી હોસ્ટેલ વિદ્યાર્થીઓને પોતાની કારકિર્દી ઘડવામાં ખુબજ મદદરૂપ બની રહેશે. તેમજ સમાજ ઉપયોગી તમામ કામો માટે જરૂરી આર્થિક, સામાજીક સહયોગ આપવાની ખાત્રી આપી હતી અને રીડિંગ લાઇબ્રેરીમાં 51000 રૂપિયાના પુસ્તકો તથા 2 નવીન એ.સી.ના દાનની જાહેરાત કરી અને ભરતસિંહ વાઘેલા હારીજ દ્વારા પાટણ હોસ્ટેલમાં સીસીટીવી કેમેરા તથા ધર્મેન્દ્રસિંહ વાઘેલા હારીજ દ્વારા હોસ્ટેલના લાઈટ ફીટીંગ ના દાન માટે ની જાહેરાત કરવામાં આવી હતી.આજના પ્રસંગે પધારેલ ઉત્તર ગુજરાત રાજપૂત સમાજ ટ્રસ્ટના પ્રમુખ જયરાજસિંહ, મહેમાનો, પાટણ જિલ્લા રાજપૂત પોલીસ પરિવાર, પાટણ જિલ્લા રાજપૂત સમાજની તમામ સંસ્થાઓના આગેવાનો, પોલીસ અધિકારીઓ, સમાજના પ્રબુદ્ધ નાગરિકોનો દાનસિંહજી સત્યાર્થી રાજપુત કુમાર છાત્રાલય સંચાલન કમિટી વતી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.