સિધ્ધપુરમાં ભોજનના સ્વાદ બાબતે ભાઇએ ઉગ્ર બની ભાઇની પત્નિની હત્યા કરી
સિધ્ધપુર શહેરમાં ગઇકાલે સાંજે સામાન્ય વાતને લઇ જેઠે તેના ભાભીની હત્યા કરી નાંખી હોવાની ઘટના સામે આવી છે. મળતી વિગતો મુજબ મૃતક મહિલાએ ગઇકાલે સાજે શાકમાં મરચું વધારે નાંખતાં બોલાચાલી થઇ હતી. જે બાદમાં આરોપી ઇસમે એકદમ ઉશ્કેરાઇ જઇ મહિલાને પેટના ભાગે છરીના ઘા મારતાં તેનું મોત થયુ હતુ. જે બાદમાં આરોપી ફરાર થઇ ગયા બાદ મૃતકના પતિએ આરોપી સામે સિધ્ધપુર પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. જે બાદમાં પોલીસે આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
પાટણ જીલ્લાના સિધ્ધપુર શહેરની સનનગર સોસાયટી પાસે આવેલ ઝુંપડપટ્ટીમાં સતિષભાઇ ઉર્ફે સાદીક ચમનભાઇ અમથાભાઇ મીર પરિવાર સાથે રહી મજુરી કરી ગુજરાન ચલાવે છે. આ દરમ્યાન સતીષના મોટાભાઇ હનિફ ઉર્ફે અજય ઉર્ફે અનિલ જે ભડથ, તા.ડીસા. જી.બનાસકાંઠા ખાતે રહેતાં હોઇ છેલ્લા અઠવાડીયાથી તેની પત્નિ સાથે સિધ્ધપુર સતીષભાઇ સાથે રહેવા આવેલા. જે બાદમાં બંને દેરાણી-જેઠાણી વચ્ચે અવાર-નવાર જમવાનું બનાવવા બાબતે સામાન્ય બોલાચાલી થતી હતી. જોકે ગઇકાલે સાંજે સાતેક વાગે સતીષભાઇ બહારથી પરત ઘરમાં આવતાં તેમના ભાઇ અને પત્નિ વચ્ચે ઝઘડો ચાલતો હતો.
આ તરફ શારદાબેનનું પણ ગંભીર ઇજાઓને કારણે ઘટનાસ્થળે જ કરૂણ મોત થયુ હતુ. જેથી સતીષભાઇએ આરોપી સામે ફરીયાદ નોંધાવતાં પોલીસે આઇપીસીની કલમ 302 અને જીપીએ એક્ટની કલમ 135 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ સાથે આરોપી હનીફની અટકાયત કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.
આરોપીનું નામ
હનીફ ઉર્ફે અજય ઉર્ફે અનિલ ચમનચાઇ મીર, સનનગર સોસાયટી પાસે, ઝુંપડપટ્ટી, સિધ્ધપુર
આ દરમ્યાન ફરીયાદી સતીષભાઇએ વચ્ચે પડી મામલો શાંત પાડવાનો પ્રયાસ કરતાં ખબર પડી હતી કે, સવા અને રીંગણના શાકમાં મરચું વધારે પડ્યુ હોઇ બબાલ થઇ હતી. જે બાદમાં સતીષનો ભાઇ હનીફ એકદમ ઉશ્કેરાઇ જતાં તેણે છરી જેવા કોઇ તિક્ષ્ણ હથિયારથી મૃતક શારદાબેન ઉપર ઘા માર્યા હતા. જે બાદમાં શારદાબેને બુમાબુમ કરતાં પડોશીઓ આવી જતાં આરોપી હનીફ ફરાર થઇ ગયો હતો.