રાધનપુરમાં સાઈકલ લઈ જઈ રહેલા બાળકોને ટ્રકે અડફેટે લેતા એકનું મોત

પાટણ
પાટણ

પાટણ જિલ્લામાં અવર નવાર અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે અકસ્માતની વધુ એક ઘટના રાધનપુર-મહેસાણા હાઇવે પર બની છે. જેમાં મંગલમૂર્તિ સોસાયટીનાં નાકે ટ્રક ચાલકે સાઇકલ સવાર બાળકોને અડફેટે લીધા હતા. જેથી એક 12 વર્ષીય બાળક ટ્રકના ટાયરમાં આવી જતા તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે અન્ય એક બાળકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બાળક ના મોતથી પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો હતો.રાધનપુરની મંગલમૂર્તિ સોસાયટીમાં રહેતા જયદીપસિંહના પુત્ર સુજમલસિંહ અને તેનો મિત્ર અવરિથ શનિવારના સાંજના સુમારે રમવા માટે નીકળ્યા હતા. તે દરમિયાન હાઇવે પર આવેલી મંગલમૂર્તિ સોસાયટી ગેટ સામે પુરપાટ ઝડપે આવી રહેલી ટ્રકે સાઇકલને ટક્કર મારી હતી.

જેથી સાયકલ સવાર 12 વર્ષના બાળક સુજમલસિંહ ટ્રક નીચે ટાયરમાં આવી જતા તેનુ મોત થયું હતું તો અન્ય બાળકને ઈજાઓ થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતની ઘટના બનતા ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા.આ અકસ્માતમાં 12 વર્ષીય સુજમલસિંહ જયદીપસિંહ નામના બાળકનું કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું. રાધનપુર ખાતે આવેલી રેફરલ હોસ્પિટલ ખાતે લાશને પીએમ અર્થે ખસેડવામાં આવી હતી. તો અન્ય એક બાળકને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ પોલીસને થતાં રાધનપુર પોલીસ ઘટના સ્થળે પહોચી હતી અને આગળની વધુ તપાસ હાથ ધરી હતી. બીજી તરફ બાળકનું મોત થતા તેના પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.