પાટણમાં વ્યાજખોરોનો ત્રાસ: વ્યાજની માંગણી કરતા હોવાની વેપારીએ ફરિયાદ નોંધાવી

પાટણ
પાટણ

પાટણ શહેરનાં એક વેપારી બે અલગ અલગ વ્યક્તિ પાસેથી રૂા. 8 લાખ અને રૂા. 7 લાખ લીધેલા તેનાં વ્યાજ સહિત રૂપિયા પરત આપ્યા હોવા છતાં વધુ વ્યાજની માંગણી કરાતી હોવાનો આક્ષેપ કરતી ફરિયાદ વેપારીએ નોંધાવી હતી. પાટણ શહેરનાં ટી.બી. ત્રણ રસ્તા નજીકની પાયલ પાર્ક સોસાયટી પાસેની શ્લોક પરિસર સોસાયટીમાં રહેતા કિશોરભાઇ શોભરાજભાઇ ઠક્કરેપાટણનાં બેચરભાઇ પાસેથી ૮ લાખ લીધેલા જેનાં વ્યાજ સહિત રૂ15 લાખ અને નરેશભાઇ પાસેથી રૂા.7 લાખ લીધેલા તેમાં વ્યાજ સહિત ૧૨ લાખ પરત આપ્યા હોવા છતાં પણ તેઓ વધુ વ્યાજની માંગણી કરી ધમકી આપતાં હોવાની ફરિયાદ પાટણ બી-ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.