સરસ્વતી વિસ્તારના યુવાનો દ્વારા શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી

પાટણ
પાટણ

વામૈયા ગામના લોક વિસ્તારના યુવાનો દ્વારા અયોધ્યામા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ઉજવણી કરવામાં આવી. યુવાનો દ્વારા જમવાનું રામ રહીમ અન્નક્ષેત્રમાં આપી. ગરીબ વિસ્તારમાં ગરીબોને ભોજન પ્રસાદ પીરસવામાં આવ્યું હતું.પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના વામૈયા ગામે તા. 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે લોક વિસ્તારના યુવા કાર્યકર્તાઓ દ્વારા રામ મંદિર માટે ઘરે ઘરે ફરી ચોખા અને રામ મંદિરની આમંત્રણ પત્રિકા આપવામાં આવી હતી. રાત્રે રામ ધૂન, આરતી અને ભજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વામૈયા ગામના લોક વિસ્તારના યુવાનો દ્વારા હર્ષોલ્લાસ સાથે આયોજન કરી. સમસ્ત લોક વિસ્તાર દ્વારા આયોજિત ગામ અયોધ્યા રામ મદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે આરતી રામ ધૂન તેમજ ભજન કીર્તન કરવામાં આવ્યું હતું.


ગામના લોક વિસ્તારના તમામ યુવાનો, વડીલો, માતાઓ, બહેનો અને બાળકો દ્વારા રામ ધૂન તથા ભજન કરી અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી. જમણવાર ભોજન પ્રસાદમાં લાડુ, દાળ-ભાત, શાકપુરીનું આપવામાં આવ્યો હતો. તેમજ પાટણમાં રામ રહીમ અન્નક્ષેત્રમાં ગરીબ વિસ્તારમાં ગરીબોને ભોજન પ્રસાદ આપી સેવાકાર્ય કરવામાં આવ્યું હતું.વામૈયા ગામના લોક વિસ્તારના નાયી, દેસાઈ, બ્રાહ્મણ, લુહાર, પંચાલ, ગોસ્વામી, પ્રજાપતિ, સમાજના ભાઈઓ, બહેનો, વિડીલો, યુવાનો બાળકો દ્વારા ખૂબજ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. વામૈયા ગામના લોક વિસ્તારના તમામ યુવાનો દ્વારા કાર્યક્રમનુ આયોજન કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ પ્રસંગે વામૈયા લોક વિસ્તારના ગામના તમામ વડીલો તથા યુવાનો દ્વારા આ કાર્યક્રમ સફળ બનાવ્યો તે બદલ તમામનો વામૈયા ગામના લોક વિસ્તારના યુવાનોને સાથ સહકાર આપવા બદલ તમામનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.