પાટણમાં રામજી મંદિરમાં સુકામેવાના મનોહારી હિંડોળામાં ભગવાન ઝુલ્યા

પાટણ
પાટણ

શ્રાવણ માસનાં હિંડોળા દર્શન માટે ભાવિકો ભક્તો પાટણ શહેરનાં ગોળશેરી અને ગિરધારી રોડનાં ત્રિભેટે આવેલા પ્રાચિન સીતારામ ગુરૂ ધનુષધારી ભરતદાસજી રામજી મંદિર ખાતે શ્રાવણ માસની ઉજવણીનાં ભાગરૂપે સૂકામેવાનો સુંદર મનોહારી હિંડોળાની સજાવટ કરીને અત્રે ભગવાન રામજીને હિંડોળામાં બિરાજમાન કરીને ઝુલાવવામાં આવ્યા હતા.પાટણમાં વિવિધ મંદિરોમાં શ્રાવણ માસનાં મનોરથો ચાલી રહ્યા છે. તેનાં ભાગરૂપે આજે રામજી મંદિરે 8 કિલો જેટલા વિવિધ પ્રકારનાં સુકામેવાનો ઉપયોગ કરીને તેની સુંદર ડિઝાઇનો બનાવી હિંડોળાની સુંદર રચના કરાઇ હતી. આ હિંડોળાનાં દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા.


આ હિંડોળાનાં મનોરથી તીર્થ ચુનીલાલ લલ્લુભાઇ પટેલ કનાથવાડો વાળાએ લાભ લીધો હતો. જ્યારે અત્રે પૂ. ગોપાળભાઇ પાઠકજી પણ દર્શનાથે આવીને આશિર્વાદ પાઠવ્યા હતા. આ હિંડોળાની સજાવટ માટે સેવકો રાજુભાઇ સોની, કૌશિકભાઇ, રશ્મીબેન, હેતલબેન અને કોકિલાબેને સેવા આપી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.