પાટણમાં ઓવરબ્રિજનુ કામ ચાલુ થશે તો પણ ફાટક બંધ નહીં થાય: કે.સી. પટેલ

પાટણ
પાટણ

પાટણ કલેકટર દ્વારા પાટણ ના કોલેજ રોડ સ્થિત રેલ્વે ફાટક પર ઓવરબ્રીજ બનાવવાનું કામ ચાલુ થવાનુ છે જે અન્વયે અવર જવર માટે ડાયવર્ઝન અંગેનું જાહેરનામુ બહાર પાડવામા આવેલ છે, ત્યારે પૂર્વ પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલ ની આગેવાની હેઠળ પાટણ ભાજપ ના આગેવાનો એ પાટણ ની પ્રજા તેમજ પાટણમાં પ્રવેશ કરતા નાના વાહનોને તકલીફ ના થાય તે માટે રજુઆત કરવામા આવી હતી.

ક્લેક્ટર સાથેની મુલાકાત બાદ પૂર્વ પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલે જણાવ્યુ હતુ કે, અત્યારે નવરાત્રી ચાલી રહી છે તેમજ દિવાળીના દિવસો નજીકમા છે ત્યારે પાટણની પ્રજા, નાના વાહન ચાલકો તેમજ આજુબાજુના ગામોમાથી ખરીદી કરવા આવતા લોકો તથા વેપારીઓને ધંધાકીય અસર ના પડે તે માટે આજે ક્લેક્ટરે રસ્તો ચાલુ રાખવા તથા અન્ય વૈકલ્પિક વ્યવસ્થા કરવા રજૂઆત કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.