સરસ્વતી પંથકમાં દિવેલા પાકમાં પીળી ઈયળોનો ભારે ઉપદ્રવ

પાટણ
પાટણ

સરસ્વતીના વાગડોદ પંથકના વાયડ, ઉંદરા, અબલુવા, નાયતા સહિત ગામોના દિવેલા છોડના પાન પર અસંખ્ય પીળા રંગની ઈયળો જોવા મળી રહી છે. પીળા કલરની ઈયળોનુ ઝુંડ દિવેલાના છોડના પાન કોરી ખાય છે. વાયડ ના તેજાભાઈ કલ્યાણભાઈ દેસાઈ અને ઉંદરાના પીન્ટુજી ઠાકોરે જણાવ્યું કે સરસ્વતી તાલુકામાં વહેલું દિવેલાનુ વાવેતર થયું છે તેમાં પીળા કલરની ઈયળો પડી છે. દિવેલા પાંદડા પર અસંખ્ય પીળા કલરની ઈયળો પડવાથી છોડને નુકશાન પહોંચાડી રહી છે. બે દિવસ પહેલા દવાનો છંટકાવ કરવા છતાં ઈયળોનો નાશ થયો નથી. સરસ્વતી ખેતીવાડી વિસ્તરણ અધિકારી જીતેન્દ્રસિંહ ચૌહાણે જણાવ્યું કે તાલુકામાં અંદાજીત 5072 હેક્ટરમાં દિવેલાનું વાવેતર થયું છે.પ્રતિકુળ હવામાનના કારણે જુદા જુદા પ્રકારની ઈયળોનો ઉપદ્રવ જોવા મળે છે અને પાકને નુક્સાન ઈયળો પહોંચાડતી હોય છે પાક બચાવવા ઈયળોનો નિયંત્રણ લેવા ઉપાયો કરવા જોઈએ. પાક બચાવવા ઉપાય – ઈમામેકટીન બેન્જોએટ પંપમા 4-5 ગ્રામ નાખી છંટકાવ કરો. – કલોરોપાયરી ફોસ + સાયાપર મેથીન પંપમા 4-5 ગ્રામ નાખી છંટકાવ કરવો તેવી ખેડૂતોને ભલામણ કરી હતી. વધુમાં જણાવ્યું હતું કે જો દિવેલા વાવેતરમાં એકાદ બે છોડ ઈયળો દેખાય તો શક્ય બને તો દિવેલાનો છોડ ઉખાડીને બાળી નાખવાથી ઈયળોનો નાશ થાય છે અને જો વધુ જોવા મળે તો દવાનો છંટકાવ કરવો તેવું જણાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.