![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/08/06-1.jpg)
ચાણસ્મા સર્કલ થી હાઇવે વિસ્તારમાં રખડતાં ઢોરોથી વાહનચાલકોમાં અકસ્માતની ભીતિ
ચાણસ્માના સરદાર ચોક વિસ્તાર બસ સ્ટેશન આજુબાજુ હાઇવે સર્કલથી સાઈબાબા રોડ અને હારિજ રોડ સુધી દિવસ રાત્રિના સમયે રખડતા ઢોર અડીંગો જમાવતા હોવાના કારણે વાહન ચાલકો વૃદ્ધો ,સિનિયર સિટિઝન્સ રખડતા ઢોર ના હુમલાનો ભોગ બને છે. હાઇવે ઉપર તો કેટલીક સ્ટ્રીટ લાઇટો પણ બંધ હાલતમાં છે જેના કારણે રાત્રિના સમયે ઢોર ન દેખાવાના કારણે ઘણીવાર વાહન ચાલક ઢોર સાથે અથડાઈ જાય છે.સિનિયર સિટીજન તેજાજી ઠાકોરે જણાવ્યું હાઇવે પર તેમાં ખાસ કરીને ચાણસ્મા સર્કલથી પાટણ તરફના રોડ પર રાત્રિના સમયે રખડતા ઢોરો રોડ ઉપર જ અડીંગો જમાવેલા જોવા મળે છે.અને બીજીબાજુ સ્ટ્રીટ લાઇટોના ઠેકાણા નથી ત્યારે વાહન ચાલકો માટે ઢોર ન દેખાતા અકસ્માત થઈ શકે તેવી દહેશત રહે છે. વાહન ચાલકોએ પણ રખડતા ઢોરો અંગે નગરપાલિકા કાર્યવાહી કરે તેવી માંગણી વ્યક્ત કરી હતી.