![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/06/10-8.jpg)
સાંતલપુર તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારો વાવાઝોડાથી થયેલા નુકશાનને લઈ કોગ્રેસના પૂર્વ અધ્યક્ષે મુલાકત લીધી
પાટણનાં રાધનપુર સાંતલપુર સરહદી વિસ્તારમાં અને સાંતલપુર તાલુકા નાં ગ્રામ્ય વિસ્તારો માં બીપરજોય વાવાઝોડા થી થયેલ નુકશાનવાળા અસરગ્રસ્ત સાંતલપુર તાલુકાના સીધાડા અને બામરોલી ગામોની મુલાકાત લેવામાં આવી હતી. લોકોની વેદના સાંભળી સાથે આ દુઃખ ની ઘડી માં સમગ્ર કોંગ્રેસ પક્ષ આપની સાથે છે એવી હૈયા ધરણાં આપી હતી.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અને પાટણ ના પૂર્વ સાંસદ જગદીશભાઈ ઠાકોર તેમજ તેમની સાથે પ્રદેશના અગ્રણીઓ પૂર્વ રાજ્યસભાના સાંસદ અલકાબેન ક્ષત્રિય પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર, પ્રદેશ મહામંત્રી ભચાભાઈ આહીર, જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શંકરજી ઠાકોર , પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોર, મહિલા કોંગ્રેસના પ્રમુખ જયાબેન સોની, પીસીસી ડેલિકેટ મહેબુબખાન મલેક, સાંતલપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ જાહિદખાન મલેક, રાધનપુર શહેર પ્રમુખ ડો. વિષ્ણુદાન ઝુલા, રાધનપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ હમીરજી ઠાકોર, પૂર્વ પ્રમુખ નવીનભાઈ ચૌધરી, આણદુભા જાડેજા (ઝઝામ) ધરમપાલસિંહ સોઢા, રાહુલ બારોટ, ગોવિંદભાઈ ભીલ (ચેરમેન સામાજિક ન્યાય) તાલુકા પંચાયત સદસ્ય લાલાભાઇ પરમાર,,તેમજ રાધનપુર વિધાનસભાના કોંગ્રેસ પક્ષ ના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.