પાટણમાં જી20 માટે આવનાર વિદેશી મહેમાનો શહેરની ગંદકીના જુવેએ રોડ પર પરદા મારી દવાનો છટકાવ કરાયો
રાજ્ય સરકારના ઉપક્રમે જી-20 ઇવેન્ટમાં ભાગ લેવા આવનાર વિદેશી મહાનુભાવો આજે પાટણ શહેરની મુલાકાતે આવનાર છે અને તેઓ ઐતિહાસિક ‘રાણકી વાવ તેમજ પટોળાની વણાટ કલા નિહાળીને પરત જશે. ત્યારે આ વિવિધ દેશોના પ્રતિનિધિઓને પાટણ સ્વચ્છ છે તેવો અહેસાસ થાય તે માટે શહેરના કનસડા દરવાજાથી એમ.એન હાઈસ્કૂલના બીજા ગેટ ચુડેલ માતાજી મંદિર સુધી એક બાજુ પડદા મારી દેવા આવ્યા છે જેથી કોઈ ગંદકી દેખાય નહિ.
પાટણ શહેરમાં વિવિધ દેશોના પ્રતિનિધિ મહેમાનો બપોરના 12 વાગ્યા પછીના સમયે રાણકીવાવની મુલાકાતે આવનાર હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. બુધવારે હેરિટેજ રોડ અને રાણકી વાવ વિસ્તારની મુલાકાત લેતા સાંઈબાબા મંદિરથી ખોડિયાર ચોકડીથી જીમ ખાના તરફ નગરપાલિકાની ટીમ દ્વારા રસ્તાની સફાઈ અને બાવળ કટીંગ કરાયું તો હેરિટેજ માર્ગ પર દવાનો છટકાવ કરતા જોવા મળ્યા હતા.વિસ્તારમાં રહેતા ભરતભાઈ પટેલે જણાવ્યું હતું કે, આવી રીતે કોઈનું કોઈ આવતું રહે તો શરૂ જેના કારણે રોડ પર સ્વછતા રહે અને દવાનો છટકાવ થાય આમ તો કોઈ જોવા પણ આવતું નથી.આ વિદેશી મહેમાનો માટે આ વેવસ્થા કરવામાં આવી છે તો તે કાયમી રાખવા માં આવે તો શરૂ છે.