![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/08/25-10.jpg)
વાયડનું તળાવ ભરવા નર્મદા યોજના પાઈપલાઈન નાખવા ખાતમુહૂર્ત કરાયુ
સરસ્વતી તાલુકાના વાયડ ગામે નર્મદા યોજના પાઈપલાઈન એનસીસી કંપની દ્વારા પાણીથી ગામના તળાવ ભરવા જેસીબી મશીન દ્વારા પાઈપલાઈન નાખવામાં માટે શુક્રવારે ખાતમુહૂર્ત કરાયું હતું. જેમાં તાલુકા વિકાસ અધિકારી ચંપકભાઈ લિમ્બાચિયા, અંબાલાલ ચૌધરી, વાયડ ગામના સરપંચ અદેસંગજી જાદવ, તાલુકા સદસ્ય જાદવ મોડણજી,નારણજી, વાઘુભાઈ દેસાઈ સહિત યુવા મોરચાના ઉપ- પ્રમુખ વદેસંગ જાદવ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.