પાટણનાં સુયૉનગર વિસ્તારમાં ચાર દિવસ માટે આયુર્વેદિક ઉકાળાનુ વિતરણ શરૂ કરાયું

પાટણ
પાટણ

પાટણ : પાટણ શહેરમાં કોરોના ની સંક્રમણ દિવસે દિવસે વધતી જઈ રહી છે ત્યારે આ સંકમણને શહેરીજનોમાં અટકાવવા આરોગ્ય તંત્ર સહિત શહેરની સેવાભાવી સંસ્થાઓ, રાજકીય પાર્ટીઓ ની સાથે સાથે અનેક લોકો દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે ત્યારે પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાં આયુર્વેદિક જડીબુટ્ટીઓ માંથી તૈયાર કરાયેલા લાઈવ આયુર્વેદિક ઉકાળાનુ વિતરણ પાટણ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ સુરેશભાઈ પટેલ અને તેમના મિત્ર વર્તુળ નાં સહિયોગ થી કરવામાં આવી રહ્યું છે ત્યારે ચાર દિવસ માટે શહેરના અતિ પછાત ગણાતા એવા સુયૉ નગર વિસ્તારમાં આયુર્વેદિક લાઈવ ઉકાળા વિતરણનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેનો સુયૉનગર સહિત આજુબાજુના વિસ્તારનાં લોકોએ લાભ લઇ કોરોના સામેની રોગપ્રતિકારક શક્તિ વધારતા આયુર્વેદિક ઉકાળાનું સેવન કર્યું હતું.આ લાઈવ આયુર્વેદિક ઉકાળા વિતરણ ની સેવાકિય પ્રવૃત્તિ માં સુરેશભાઈ પટેલ, દેવચંદભાઈ પટેલ, દેવજીભાઈ પરમાર,અજય મોદી (બલ્લુ), ગોવિંદભાઈ ભીલ, ગૌરવ મોદી,મહેશ રાવલ,ભાવિન હાલની,રાજુભાઈ ઝાલા,રવી ઝાલા,બાબુલાલ ભીલ, રામભાઇ પટેલ સહિતના મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.