હારિજ શહેરના હાઇવે પર સોસાયટીઓમાં અંઘારાના કારણે રાત્રે અવર-જવર કરવી મુશ્કેલી

પાટણ
પાટણ

હારિજ હાઇવે રાધનપુર અને મહેસાણાને જોડતો હાઇવે રોડ બે વર્ષ પહેલા નવીન બનાવવામાં આવ્યો હતો.નવીન બનેલા હાઇવે પસાર થતા શહેરી વિસ્તારમાં બંને બાજુ બે બે કિમી.હાઇવેને ચાર માર્ગીય બનવવામાં આવ્યો હતો.અને વચ્ચે ડિવાઈડર પણ બનાવેલ છે.પણ હજુ સુધી હાઇવે પર અજવાળું પથરાયું નથી.હાઇવે પર દસ થી વધુ સોસાયટીઓ અને અન્ય રહેણાંક વિસ્તારો આવેલા છે.રાત્રે હાઇવે પર આખલાઓ ગાયો નો અડિંગો જામેલો હોય છે.અને અંધારપટમાં પગપાળા જતા લોકોને ભારે મુશ્કેલી સર્જાય છે.રાધનપુર કંડલા કચ્છ ને જોડતો મુખ્ય હાઇવે હોઈ વાહનોની ટ્રાફિક પણ વધુ હોય છે.માટે ચાર માર્ગીય હાઇવે વચ્ચે આવેલા ડિવાઈડર ના ભાગમાં સ્ટ્રીટ સોલાર લાઈટો મુકવામાં આવે તેવી લોકોની માંગ છે.અને ગામના યુવાન નાગરિક એ મુખ્યમંત્રી સ્વાગત ફરિયાદમાં પણ રજુઆત કરવામાં આવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.