![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2020/07/Untitled-134.jpg)
પાટણમાં બપોર પછી બંધ છતાં કોરોના કહેર, નવા 23 કેસનો ખુલાસો
પાટણ જિલ્લામાં કોરોના હવે કાબૂ બહાર જઇ રહ્યો હોય તેમ દરરોજ બે આંકડામાં કેસો સામે આવી રહ્યા છે. જેમાં આજે સાંજના સમયે જીલ્લામાં એકસાથે 23 કેસ જાહેર થતાં ખળભળાટ મચી ગયો છે. આજે 23 નવા દર્દીઓ દાખલ થતાં તેઓના પાડોશી ફફડાટ વચ્ચે ચોંકી ગયા છે. ગઇકાલથી બપોર બાદ કડક લોકડાઉનની શરૂઆત થયાની વચ્ચે મોટી સંખ્યામાં નવા દર્દી ઉમેરાયાં છે. કોરોના વાયરસનું સંક્રમણ નવા ગામ અને શહેરોની નવી સોસાયટી સુધી પહોંચી રહ્યું છે.
પાટણ જિલ્લામાં આજે કોરોના વિસ્ફોટ થયો હોય તેમ એકસાથે નવા 23 દર્દીઓનો ઉમેરો થતાં કુલ આંક 530 પહોંચ્યો છે. સંક્રમણને રોકવા ફરી લોકડાઉન કરવાના મંથન વચ્ચે પાટણ શહેરમાં ગઇકાલથી બપોર બાદ સજ્જડ બંધ શરૂ થયું છે. આજે સાંજના સમયે એકસાથે 23 દર્દીઓ નોંધાતા અનલોક દરમ્યાન સંક્રમણનો રાફડો ફાટી ગયો હોય તેમ વધારે સંખ્યામાં દર્દીઓ આવી રહ્યા છે.
આજે જીલ્લામાં નવા 23 દર્દીઓ ઉમેરાતાં કુલ આંક 530 પહોંચ્યો છે. આજે સાંજના સમયે નોંધાયેલા કેસોમાં ચાણસ્મા તાલુકામાં 4 અને શહેરમાં 1, સાંતલપુર તાલુકામાં 4, સિધ્ધપુર શહેરમાં 2 અને ગ્રામ્યમાં 1, રાધનપુર શહેરમાં 6, પાટણ શહેરમાં 3 અને ગ્રામ્યમાં 1 અને સમી શહેરમાં 1 મળી નવા કેસ સામે આવ્યા છે. જીલ્લામાં અનલોકમાં મળેલી છૂટને કારણે દરરોજ ડબલ આંકડામાં નવા કેસો સામે આવી રહ્યા છે.