પાટણની સુજલામ સુફલામ બ્રાન્ચ કેનાલ મારફતે 400 ક્યુસેક જેટલું છોડાયેલ પાણી 4 દિવસમાં સરસ્વતી નદીમાં આવશે
મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં થયેલા ભારે વરસાદને પગલે નર્મદા ડેમમાં પાણીની પુષ્કળ આવક થતાં નર્મદા ડેમના 10 જેટલા દરવાજા ખોલવાની ફરજ પડી છે. નર્મદા ડેમના 10 દરવાજા ખોલાતા તેનું પાણી પાટણ સિંચાઈ વિભાગ દ્વારા પાટણ કમલીવાડા પાસેથી પસાર થતી નર્મદાની સુજલામ સુફલામ બ્રાન્ચ કેનાલ મારફતે પાટણ સરસ્વતી નદીમાં વહેતું થશે. ત્યારે હાલમાં 400 ક્યુસેક જેટલું પાણી આ બ્રાન્ચ કેનાલમાં છોડવામાં આવ્યું હોય જે પાણી પાટણની સરસ્વતી નદીમાં આવતા ચાર દિવસ જેટલો સમય લાગશે તેવું સૂત્રો તરફથી જાણવા મળ્યું છે.
મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશના ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને કારણે નર્મદા ડેમના પાણીની પુષ્કળ પ્રમાણમાં આવક થતાં તંત્રને નર્મદા ડેમના 10 જેટલા દરવાજા ખોલવા પડ્યાં છે ત્યારે નર્મદા ડેમમાથી પસાર થતાં આ પાણીને લઇ સિંચાઈ વિભાગ દ્વારા પાટણ નજીક કમલીવાડા ગામ પાસેથી પસાર થતી નર્મદાની સુજલામ સુફલામની બ્રાન્ચ કેનાલ મારફતે હાલમાં 400 ક્યુસેક પાણી સરસ્વતી નદીમાં છોડવામાં આવ્યું છે જે આગામી 4 દિવસમાં પાટણથી નિકળતી સરસ્વતી નદીના બેરેજ સુધી પહોંચશે. પાટણ સરસ્વતી નદીમા પાણી આવવાના કારણે આજુબાજુની જમીન તળ જીવંત બનશે અને તેનો લાભ સરસ્વતી તાલુકાના ખેડૂતોને થશે.