સિદ્ધપુરમાં શહેરના રસ્તાઓ પર ઢીંચણસમા પાણી ભરાયા

પાટણ
પાટણ

સિદ્ધપુર તાલુકા અને ગામડાઓ માં અચાનક વાતાવરણ મા પલટો આવતા શનિવારે સવારથી 55 MM ધોધમાર વરસાદ વરસ્યો હતો જેના કારણે શહેરમા આવેલ નર્સિંગ કૉલેજ થી અમરનાથ મહાદેવ સુધી નો રસ્તો પાણી મા ઘરકાવ થઈ ગયો હતો તેમજ રેલવે અંડર પાસ મા પણ કમર સુધી પાણી ભરાઈ ગયા હતા.ઋષિતળાવ ઓવરફ્લો થયું હતું શહેરમા દેથળી ચાર રસ્તા હાઇવે , નર્સિંગ કૉલેજ થી અમરનાથ મહાદેવ સુધી ગટર લાઇન મા કચરો ભરાઈ જવાથી ગટર લાઇન ચોકઅપ થઈ ગયી હતી જેથી ગાડી ના બોનેટ સુધી વરસાદી પાણી ભરાઈ ગયા હતા જેને કારણે વાહન ચાલકો અટવાઈ ગયા હતા કે ક્યાંથી જવુ હવે , અને ત્રણ થી ચાર વ્યક્તિઓ ના એક્ટીવા પણ પાણી મા બગડી ગયા હતા. તાત્કાલિક પાલિકા ટિમ ના માણસો દ્રારા ચોકઅપ થયેલ ગટર લાઇન માથી ભરાયેલો કચરો દુર કરવામાં આવ્યો હતો અને પાણી નો નિકાલ કરવાનો પ્રયાસ કરવામા આવ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.