પાટણ રામ શેરી સ્થિત મોદી સમાજના બાળકોને બટુક ભોજન પ્રસાદ સાથે ભેટ સોગાદો અર્પણ કરાઇ
પાટણ શહેરના રામ શેરી સ્થિત નારસુગા વિરદાદાના સાનિધ્યમાં રવિવારે વિરદાદા ભક્ત સમુદાય દ્વારા મોદી સમાજના 4 થી 12 વષૅના બટુકો ને બટુક ભોજન પ્રસાદ પીરસવાનું સુંદર અને ભક્તિ સભર માહોલમાં આયોજન કરવામાં આવ્યું હતું.
પાટણના રામની શેરી માં આવેલ નારસુગા વિરદાદાના સાનિધ્યમાં આયોજિત આ બટુક ભોજન પ્રસાદમાં જોડાયેલા તમામ બટુકો ને બટુક ભોજન પ્રસાદ સાથે વિવિધ ભેટ સોગાદો પણ અપૅણ કરવામાં આવી હતી. મોટી સંખ્યા લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ બટુક ભોજન પ્રસાદ ના ધામિર્ક પ્રસંગને સફળ બનાવવા નારસુગા વિરદાદા મંદિર ના સેવકગણ સહિત સમસ્ત નારસુગા વિરદાદા ભકત સમુદાયે જહેમત ઉઠાવી હતી.