![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/08/09-13.jpg)
ભૂજ-મુંબઇ વાયા ભિલડી અને પાટણ નવી ટ્રેન શરૂ કરવા રજૂઆત કરી
પાટણથી ભીલડી વચ્ચે નવી બ્રોડગેજ રેલવે લાઈન શરૂકરાયા બાદ પાટણથી મુંબઈ ની સીધી ટ્રેન સેવા શરૂ કરવામાં આવે તેવી લાંબા સમયથી લોકમાંગ પ્રવર્તી રહી છે અને આ અંગે અવારનવાર રેલવે વિભાગમાં રજૂઆતો કરવામાં આવી રહી છે.ત્યારે પાટણના સાંસદ દ્વારા ભુજ- મુંબઈ વાયા ભીલડી, પાટણ થઈને નવી ટ્રેન શરૂ કરવા રેલવે મંત્રી ને રજૂઆત કરાઈ છે.સાંસદ ભરતસિંહ ડાભી દ્વારા ડેઇલી ભુજ થી મુંબઈ નવિન ટ્રેન સેવા તેઓના સંસદીય મત વિસ્તારમાં વાયા સાંતલપુર- રાધનપુર પાટણ-મહેસાણા ભીલડી -અમદાવાદ, સુરત થઈ મુંબઈ સુધી ચાલુ કરવામાં આવે તે બાબતની લેખિત રજૂઆત કેન્દ્રીય રેલમંત્રી અશ્વિની વૈષ્ણવ તથા રેલ્વે રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશને કરવામાં આવી હતી. પાટણ રેલ્વે સ્ટેશનનું કરોડો રૂપિયાના ખર્ચે નવીનીકરણ કરાનાર છે ત્યારે રેલ્વે તંત્ર દ્વારા પાટણને લાંબા રૂટની ટ્રેન આપવામાં આવે તેવી વ્યાપક લાગણી અને માંગણી છે.