ભરતસિંહજી ડાભી એ વરાણાના શ્રી ખોડીયાર માતાજીના આશિર્વાદ સાથે ચુંટણી પ્રચાર ના શ્રીગણેશ કયૉ
3-પાટણ લોકસભાના ભાજપના ઉમેદવાર ભરતસિંહજી ડાભી એ સોમવારે પ્રસિધ્ધ શ્રી વરાણા ના શ્રી ખોડીયાર માતાજીના દશૅન કરી આશિર્વાદ મેળવી ચુંટણી પ્રચાર ના શ્રીગણેશ કયૉ હતા.
આ પ્રસંગે પાટણ લોકસભા પ્રભારી અશોકભાઈ જોષી,જિ.ભાજપ પ્રમુખ ડો.દશરથ ઠાકોર,પાટણજીલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર, જીલ્લા મહામંત્રી રમેશભાઈ સિધવ,રાધનપુર વિધાનસભા ધારાસભ્ય લવિઞજી ઠાકોર,રાધનપુરવિધાનસભાના પ્રભારી દિનેશભાઇ અનાવાડીયા,પાટણ લોકસભાના વિસ્તારક ડો. ભગીરથસિંહ સહિત વિસ્તારના આગેવાનો કાર્યકરો સાથે સમી તાલુકા ના પ્રજાજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને પાટણ લોકસભા બેઠકના ઉમેદવાર ભરતસિંહજી ડાભી ની વિજય કામના વ્યકત કરી હતી. સમી તાલુકા ના વરાણા ખાતે માં ખોડીયાર ના આશીર્વાદ લઈને ઉમેદવાર ભરતસિંહજી ડાભી એ લોકસભા 2024 ના ચુંટણી પ્રચાર ના શ્રી ગણેશ કરતાં સમગ્ર વાતાવરણમાં કેસરીયો માહોલ છવાયો હતો.