![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2022/11/Rakhewal-241.jpg)
સિધ્ધપુર વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર બલવંતસિંહ રાજપૂતે જાહેર સભા સંબોધી ઉમેદવારી પત્ર ભર્યું
ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી વિધાનસભાની ચૂંટણીમાં પાટણ જિલ્લાની સિદ્ધપુર વિધાનસભા બેઠક પરના ઉમેદવાર તરીકે જાણીતા ઉધોગપતિ અને ગુજરાત રાજ્ય જીઆઈડીસીનાં પૂર્વ ચેરમેન બલવંતસિંહ રાજપૂતના નામની જાહેરાત કરી હતી. સિધ્ધપુર વિધાનસભા વિસ્તારના મતદારો સહિત ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકરો અને તેમના સમર્થકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચૂંટણીમાં બલવંતસિંહ રાજપૂતને જંગી બહુમતીથી વિજય બનાવવા હુંકાર કરવામાં આવ્યો છે ત્યારે સિધ્ધપુર વિધાનસભા બેઠકના ઉમેદવાર બલવંતસિંહ રાજપૂતે આજે બહુચરના આશિર્વાદ મેળવી પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોર સહિત 10 આગેવાનોની ઉપસ્થિતિમાં મામલતદાર કચેરી ખાતે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું. સિધ્ધપુર વિધાનસભા બેઠકનાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બલવંતસિંહ રાજપૂતે પોતાનું ઉમેદવારી પત્ર રજુ કર્યા બાદ ભાજપ કાર્યાલય ખાતે આયોજિત જંગી જાહેર સભાને સંબોધીત કરી સૌનાં આશિર્વાદ મેળવ્યા હતા.