ધારપુર ખાતે ભાજપ યુવા મોરચાના કાર્યકરોએ રાહદારીઓ અને વાહનચાલકોને તિરંગાનું વિતરણ કર્યું

પાટણ
પાટણ

પાટણ તાલુકાના ધારપુર હોસ્પિટલ આગળ હરઘર તિરંગા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. મુખ્ય હાઇવે માર્ગ ઉપરથી પસાર થતા રાહદારીઓ અને વાહનચાલકોને તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા પાટણ જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ વિવેક પટેલે જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશ આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવી રહ્યું છે. ત્યારે પાટણ જિલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા તમામ 14 મંડળમાં યુવા મોરચા દ્વારા આ અભિયાન યોજવામાં આવ્યું છે. જેના ભાગરૂપે આજરોજ ધારપુર મેડિકલ હોસ્પિટલ આગળ પાટણ તાલુકા ભાજપ યુવા મોરચા દ્વારા તિરંગા વિતરણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપના મંત્રી જયરામ દેસાઈ, યુવા મોરચાના જિલ્લા મહામંત્રી પાર્થ પટેલ, તાલુકા ભાજપના મહામંત્રી હરિ પટેલ, જિલ્લા યુવા મોરચાના ઉપાધ્યક્ષ બળદેવજી ઠાકોર,તાલુકા યુવા મોરચાના પ્રમુખ વિરલભાઈ પટેલ,તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી વિરેશભાઈ વ્યાસ, પ્રદેશ યુવા મોરચા કરોબારી સભ્ય શ્યામભાઇ દેસાઈ, તાલુકા યુવા મોરચાના મહામંત્રી ઇંદ્રજીતસિંહ રાજપૂત, પાટણ વિધાનસભાના વિસ્તારક પાર્થભાઈ સાવલિયા, તાલુકા પંચાયતના ન્યાય સમિતિના ચેરમેન નરેશભાઈ પરમાર, પૂર્વ તાલુકા યુવા મોરચાના અધ્યક્ષ રાહુલભાઈ પટેલ,તાલુકા બક્ષીપંચ મોરચાના મહામંત્રી ગોવિંદભાઇ પ્રજાપતિ સહિત યુવા મોરચાના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.