![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/07/15.jpg)
પાટણ જિલ્લામાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક યોજાઈ
તાલુકા લેવલનો એક અને ઓછામાં ઓછા પાંચ મંડલ ના કાર્યક્રમ કરવા અંગે નિર્ણય કરવામાં આવ્યો હતો તો સદસ્યતા અભિયાન અને ગુરુ વંદના કાર્યક્રમ નું વૃત લેવામાં આવ્યું હતું. પ્રાંત કારોબારી ની સૂચના મુજબ HTAT મુખ્ય શિક્ષક સંવર્ગ જિલ્લા લેવલે કાર્યરત કરવા બાબતે વ્યાપક ચર્ચા અને અનુસંધાને સર્વ સંમતિથી જિલ્લા અધ્યક્ષ તરીકે શંકરભાઈ ચૌધરી ભલગામ પ્રાથમિક શાળા તા.પાટણ મહામંત્રી તરીકે નારણભાઈ આહીર ધોકાવાડા પ્રા. શાળા તા.સાંતલપુર , સંગઠન મંત્રી તરીકે મનીષભાઈ પટેલ ગાગલાસણ પ્રા. શાળા તા.સિધ્ધપુર અને વરિષ્ઠ ઉપાધ્યક્ષ તરીકે રામજીભાઈ ચૌધરી રોડા પ્રા.શાળા તા. હારીજ ની વરણી કરવામા આવી હતી બાકીની જિલ્લા ટીમની અને તમામ તાલુકાની ટીમ રચના કરવાની સત્તા પણ તેમને આપવામાં આવી હતી. જિલ્લા કારોબારીની મહિલા ખાલી બેઠક પર મહિલા ઉપાધ્યક્ષ કુંદનબેન પરમાર રાધનપુરની નિમણૂક કરવામાં આવી હતી. હારીજ તાલુકા અધ્યક્ષ તરીકે દલપતસિંહ વાઘેલા અને સરસ્વતી તાલુકા મંત્રી તરીકે દિનેશભાઈ દેસાઈ ની વરણી સર્વ સંમતિથી કરવામાં આવી હતી.