![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/08/10-16.jpg)
પાટણમાં ‘સુનહરે નગમો કા સુનહરા સફર’ના સદાબહાર ગીત-સંગીતનો કાર્યક્રમ યોજાયો
પાટણમાં ‘સુનહરે નગમો કા સુનહરા સફર’ ના સદાબહાર ગીત સંગીતના કાર્યક્રમનું આયોજન રોક ઓરકેસ્ટ્રા મહેશ પટેલ, શાકિબ શેખ,પૂજા રાણા અને આશ્લેષા પારેખ ટીમ દ્વારા હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી રંગ ભવન હોલ ખાતે કરવામાં આવ્યું હતું.પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના રંગ ભવન હોલ ખાતે લતાજી, મુકેશજી, ઔર રફી સાહેબ કે સુનહરે નગમો કા સુનહરા સફર ના સદાબહાર ગીતોનો યાદગાર કાર્યક્રમ પાટણ ના ધારસભ્ય કિરીટ પટેલ ના અધ્યક્ષતા માં યોજાયો હતો.
જેમાં કલાકાર શાકીબ શેખ, મહેશ પટેલ અને પૂજારાણા એ લતાજી, મુકેશજી,મહમદ રફી ના સદાબહાર ગીતો ગાઈ ઉપસ્થિત લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા.પાટણ ખાતે યોજાયેલ સુનહરે નગમો કા સુનહરા સફર સંગીત સંધ્યા ના કાર્યક્રમ અધ્યક્ષ તારીકે ધારસભ્ય ર્ડા. કિરીટભાઇ પટેલ અતિથિ વિશેષ મનોજભાઇ કે. પટેલ દિક્ષીત જે. પટેલ,પટેલ ધર્મેન્દ્ર મેલાભાઇ ,યતીન પી. ગાંધી , દિલીપકુમાર અમથાભાઇ પટેલ,નિકુલ એલ. ચુનાવાલા સહિત સંગીત પ્રેમી લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમ નું સંચાલનઆશ્લેષા પારેખ કર્યું