પાટણમાં પરષોત્તમ ભગવાનનાં મંદિરમાં અધિક માસની કમલા એકાદશી ની ઉજવણી કરાઈ
સમગ્ર ઉત્તર ગુજરાતમાં પાટણની પૂણ્યશાળી ભૂમિ પર આવેલ એકમાત્ર ભગવાન પૂર્ણ પુરુષોત્તમનાં મંદિર ખાતે પવિત્ર અધિક આસો માસની ધર્મમય માહોલમાં ઉજવણી થઈ રહી છે.આજે કમલા એકાદશીના પવિત્ર દિવસે ભગવાન પુરુષોત્તમની પૂર્ણ પ્રતિમાને વિશિષ્ટ આંગી કરવામાં આવી હતી. તો ભગવાન સન્મુખ શ્રધ્ધાળુ મહિલાઓ દ્વારા સમૂહ દિપદાન, કુંભદાન અને સાથીયા પૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડ્રાયફુટ અને વિવિધ ફૂટની મનોરથ આંગીના દર્શન ખુલ્લા મુકવામાં આવ્યા હતા જયાં શ્રધ્ધાળુઓએ ભગવાનના મનોરથ આંગીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. પાટણ શહેરની ખમારની વાડીમાં પણ સમૂહમાં સાથિયા પૂજન કરવામાં આવ્યું હતું. પાટણ શહેરના નાગર લીમડી વિસ્તારની બહેનોએ એક અનોખી પહેલ દ્વારા હવેથી દરેક મૂર્તિઓ ને ખેતરની માટી માંથીજ બનાવવાની નેમ લઈ ને પુરુષોત્તમ ભગવાનની મૂર્તિ સંપૂર્ણ માટી માંથી બનાવીને આખો મહિનો ભક્તિ ભાવ સાથે કથા અને પૂજાનું આયોજન કર્યું છે સાથે તમામ બહેનો અને વિસ્તારના લોકો દ્વારા કથા પૂર્ણ થયે આં મૂર્તિ ને પોતાના જ વિસ્તારમાં મોટા પીપમાં વિસર્જન કરી સમગ્ર મૂર્તિ ઓગળ્યા બાદ સમગ્ર વિસ્તારના તુલસી ક્યારામાં જ આં પાણી અર્પણ કરીને પર્યાવરણને બચાવવાની સાથે લોકોની ધાર્મિક લાગણી પણ જળવાઈ રહે એવી સુંદર મજાની વ્યવસ્થા કરી ને ભક્તો ભાવ થી ભગવાનની પૂજાનો સંકલ્પ લીધો હતો. આમ પાટણનાં પરષોત્તમ ભગવાનનાં મંદિર પરીસર ખાતે અધિક માસની કમલા એકાદશીની ભકિતસભર માહોલમાં ઉજવણી કરાઈ હતી.