હારીજ ITI કોલેજમા શ્રમિકને કરંટ લાગતા ઘટના સ્થળ પર મોત નિપજ્યું

પાટણ
પાટણ

બનાવની જાણ હારીજ પોલીસ ને કરાતાં આગળ ની કાર્યવાહી હાથ ધરી: હારીજ-રાધનપુર રોડ પર આવેલ ITI કોલૅજમા સ્ટ્રીટ લાઈટના થાંભલાઓંને કલર કામ કરી રહેલા શ્રમિક ને ઈલેક્ટ્રીક શોક લાગતાં ધટના સ્થળે મોત નીપજ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવવા પામી છે.

આ ઘટનાની મળતી હકીકત મુજબ હારીજ રાધનપુર હાઈવે માગૅ પર આવેલી આરટીઆઈ મા  સ્ટ્રીટ લાઈટના થાંભલાઓને શૈલેન્દ્ર નામના શ્રમિક દ્રારા કલર કામ કરવામાં આવી રહ્યું હતું ત્યારે એક થાંભલાનું કલર કામ પતાવી તે બીજા થાંભલા તરફ ચડવા માટે લોખંડ ની સીડી લઇ જઈ રહ્યો હતો ત્યારે ઉપરથી પસાર થતી 11 કેવી વીજ લાઈનને લોખંડ ની સીડી નો ભાગ અડી જતા કરંટ લાગતા શ્રમિક શૈલેન્દ્ર નામના યુવાનું ઘટના સ્થળ પર જ઼ મોત નીપજ્યું હતું.

બનાવની જાણ સાથે કામ કરતા અન્ય શ્રમિકો ને થતાં તેઓએ બુમા બુમ કરતા ફરજ પરના સિક્યુરિટી ગાડૅ ધટના સ્થળે દોડી આવ્યા હતા અને મૃતક યુવાન ને હારીજ રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે  લાવી હારીજ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે હોસ્પિટલ ખાતે આવી આગળ ની કાયૅવાહીદ્વારા  હાથ ધરી હતી.

હારીજ આઈટીઆઈ માં સ્ટ્રીટ લાઈટ ના થાંભલાઓને કલર કામ કરવા આવેલા શ્રમિકનું ઇલેક્ટ્રીક શોક લાગવાથી મોત નીપજ્યું હોવાની ઘટનાના પગલે મૃતક શ્રમિક ના પરિવારજનોમાં તેમજ તેમની સાથે કામ કરતા અન્ય શ્રમિક કારીગરોમાં ગમગીની છવાઈ જવા પામી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.