રાધનપુરનાં શેરબાગ માં રહેતા મહિલાને બાથરૂમમાં ફીટ કરેલ ઈલેક્ટ્રીક ગીઝર ના કારણે કરંટ લાગતાં મોત નીપજ્યું

પાટણ
પાટણ

રાધનપુર ખાતે આવેલ શેરબાગ સોસાયટી માં રહેતા મહિલાને પાણીના ઈલેક્ટ્રીક ગીઝર ના કારણે કરંટ લાગતા મહિલાનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે મળતી હકીકત મુજબ રાધનપુર શહેરના શેરબાગ ખાતે રહેતા ઠક્કર પરિવારનાં મહિલા નિર્મળાબેન ઠક્કર બુધવારે પોતાના ઘરના બાથરૂમમાં સાફ સફાઈ કરતાં હતાં.

ત્યારે બાથરૂમમાં ફીટ કરેલ પાણી ના ઈલેક્ટ્રીક ગીઝર થી શોર્ટ લાગતા તેઓનું બાથરૂમમાં પટકાયા હતાં. બનાવની જાણ પરિવારજનોને થતાં તાત્કાલિક રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવાતા રાધનપુર રેફરલ હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટર એ તેઓને મૃત જાહેર કરતા પરિવારજનો મા શોક નો માહોલ છવાયો હતો. આ અકસ્માત ના બનાવની પોલીસ દફતરે ફરિયાદ નોંધાઈ હોવાનું જાણી શકાયું નથી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.