![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/08/07-7.jpg)
પાટણમાં આઝાદી પર્વની પૂર્વ સંધ્યાએ મશાલ રેલી યોજાશે
પાટણમાં ભાજપ કાર્યાલય ખાતે યુવા મોરચાના પ્રમુખ વિવેક પટેલના અધ્યક્ષસ્થાને યુવા મોરચાની બેઠક યોજાઇ હતી.જેમાં આગામી સમયમાં 15 મી ઓગસ્ટ આઝાદીના પર્વ નિમિત્તે કરવામાં આવનાર વિવિધ કાર્યક્રમો અંગે રૂપરેખા સાથે આયોજન અંતર્ગત ચર્ચા વિચારણા કરી વિવિધ હોદ્દેદારોને કામની સોંપણી કરવામાં આવી હતી.આગામી 11 થી 13 ઓગસ્ટ ત્રિરંગા વિતરણ કાર્યક્રમ યોજાશે.તેમજ આઝાદીના પર્વ નિમિત્તે 15 ઓગસ્ટની પૂર્વ સંધ્યા સાંજે 14 મી ઓગસ્ટના રોજ મશાલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.સાથે સાથે 20 થી 30 ઓગસ્ટના રોજ વિવિધ મંડળોમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.બેઠકમાં વિવિધ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.