![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/01/ચાણસ્મા-તાલુકાના-ખારા-ધરવા-ગામે-લોનના.jpg)
લોનના પૈસાની ઉઘરાણી માટે ગયેલા વ્યક્તિની પર છરીથી હુમલો કરાયો
ચાણસ્મા તાલુકાના ખારા ધરવા ગામે લોનના પૈસાની ઉઘરાણી માટે ગયેલા વ્યક્તિની પર છરીથી હુમલો કરાયો હતો. આ અંગેની વિગતો એવી છે કે, પાટણમાં દેવ ટાઉનશીપમાં રહેતા કલ્પેશકુમાર બાબુભાઈ મોહનભાઈ સોલંકી ચાણસ્માના ખારાધરવા ગામે રહેતા ઠાકોર રણજીતજી રમેશજીના ઘરે ગયા હતા.
તેમણે બજાજ પલ્સર બાઇક લોન ઉપર લીધેલ જે લોનના હપ્તા સમયસર ના ભરતા અને ફોન ઉપાડતા ના હોઇ કલ્પેશકુમારે તેમના ઘરે લોનના હપ્તાના પૈસા લેવા માટે ગયા હતા. કલ્પેશકુમારે કહેલ કે, હપ્તા આપવાનો વાયદો હતો તમે કેમ મારો ફોન ઉપાડતા નથી તેમ કહેતા રણજીતજીએ લોનનો હપ્તો નથી આપવો પૈસા આવશે ત્યારે ભરીશુ તેમ કહેતા કલ્પેશભાઈ એ કહેલ કે તમે મને હપ્તો ના આપો તેમ ના ચાલે તેમ કહેતા રંજીતે અપમાનિત શબ્દો બોલી ગાળો બોલી હતી.જ્યારે એક શખ્સે છરી છુટી મારી હતી. અને ગડદા પાટુનો માર માર્યો હતો. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધ્યો હતો.
Tags Banaskantha mahesana patan Siddhpur