સિદ્ધપુરના મેળોજ ગામમાં નવીન પ્રવેશ દ્વારનું કેબિનેટ મંત્રીના હસ્તે લોકાર્પણ કરાયું

પાટણ
પાટણ

સિદ્ધપુર તાલુકાના મેળોજ ગામમાં કેબિનેટ મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને નવીન પ્રવેશ દ્વારનુ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નવીન પ્રવેશ દ્વારને મેળોજ ગામમાં ભુંભળીયા પરિવાર દ્વારા તેઓના વડીલોના સ્મરણાર્થે બનાવવામાં આવેલ છે. કેબિનેટ મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂતના વરદ હસ્તે નવનિર્મિત “મુખી પ્રવેશ દ્વાર” નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

પ્રવેશદ્વાર ના લોકાર્પણ પ્રસંગે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત આવતા ગામલોકોએ તેમને આવકાર્યા હતા. જયારે નવા વર્ષે મંત્રીએ લોકોને રૂબરૂ મળી શુભેચ્છઓ પાઠવી હતી. પ્રવેશ દ્વારના લોકાર્પણ પ્રસંગે સંગઠનના હોદ્દેદારો શંભુભાઈ દેસાઈ, વિક્રમસિંહ ઠાકોર, જશુભાઈ પટેલ, ગણેશભાઈ, જે ડી પટેલ, દિલીપભાઈ ઠાકોર, અશોકભાઈ પટેલ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.