પાટણ HNGU દ્વારા 18 થી 22 જાન્યુઆરી સુધી ભવ્ય કાર્યક્રમ યોજાશે
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી,ના નિયામક શારીરિક શિક્ષણ, યુવા અને સાંસ્કૃતિક પ્રવુતિઓ વિભાગ દ્વારા પાંચ દિવસ મનકી અયોધ્યા થીમ ભવ્ય વિવિધ કાર્યક્રમ યોજાશે. જેમાં નામાંકિત કલાકારો દવરા વ્યાખ્યાન,કથામૃતમ,108 કુંડી સમરસતા યજ્ઞ,મર્યાદા પુરુષોત્તમ શ્રી રામના જીવન – કર્તવ્યોને ઉજાગર કરતો લોક ડાયરો, ગીત-સંગીત અને લોક ડાયરો ના વિવિધ કાર્યકામ નું આયોજન કરવામાં આવ્યું છે.તેમ કુલપતિ ડો. રોહિત દેસાઈ એ જણાવ્યું હતું.સમગ્ર ભારત માં મર્યાદાપુરસોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજી ના અયોધ્યા સ્થિત મંદિર મા યોજાનાર પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ભવ્ય કાર્યક્રમો આયોજિત થઇ રહ્યા છે ત્યારે આ મહોત્સવ મા પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી પણ સહભાગી બને તે માટે યુનિવર્સિટીના કા. કુલપતિ.ડો.રોહિતભાઈ દેસાઈ દવરા હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી માં પણ મર્યાદા પુરષોતમ ભગવાન શ્રી રામચંદ્રજીના અયોધ્યા સ્થિત ઉજવાનાર ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ભવ્ય આયોજન યુનિવર્સિટીના નિયામક શારીરિક શિક્ષણ, યુવા અને સંસ્કૃતિ વિભાગ દવરા મનકી અયોધ્યા થીમ પર 5 દિવસ વિવિધ કાર્યક્રમો નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે યોજાનાર 5દિવસીય માનકી અયોધ્યા થીમ પર વિવિધ કાર્યક્રમો યોજવાના છે જેમાં મર્યાદા પુરસોત્તમ ભગવાન રામચંદ્રજીના જીવન આદર્શ ને વિધાર્થીઓ પોતાના જીવન માં ઉતારે તેવા ઉદેશ સાથે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ના કન્વેસન હોલ અને ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે 18 થી 22 જાન્યુઆરી એમ 5 દિવસ વિવિધ કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં 18,1,24ના રોજ પ્રથમ દિવસે રાત્રે 8 વાગે કાજલ ઓઝા વૈધ ના મુખે મર્યાદા પુરુષોત્તમ શ્રી રામના જીવન – કર્તવ્યોની શાબ્દિક પ્રસ્તુતિ કરશે. બીજા દિવસે 19.1.24ના રોજ રાત્રે 8:30 કલાકે સુરેશચંદ્ર પંડયા શ્રી રામચરિત માનસના પ્રસંગોનું કથામૃતમ કરાવશે.જયારે ત્રીજા દિવસે 20.1.24 ના રોજ સવારે 9 થી 12 વાગ્યા સુધી યુનિવર્સિટી માં 108 કુંડી સમરસતા યજ્ઞ કરવામાં આવશે .તો ચોથા દિવસે 21.1.24ના રાત્રે નામાંકિત કલાકાર માયાભાઈ આહીર દવરા મર્યાદા પુરુષોત્તમ શ્રી રામના જીવન – કર્તવ્યોને ઉજાગર કરતો ભવ્ય લોક ડાયરો યુનિવર્સિટી ના ફૂટબોલ ગ્રાઉન્ડ પર કરવામાં આવશે.જયારે 22જાન્યુઆરીની રાત્રે સુપ્રસિધ્ધ સિંગર કિંજલ દવે અને ટીમ સાથે મર્યાધ પુરુષોત્તમ શ્રી રામના જીવન મૂલ્યોની સંગીતમય પ્રસ્તુતિનો ગીત-સંગીત અને લોક ડાયરોયુનિવર્સિટી ના ફૂટબોલ ગ્રાઉન્ટ, ખાતે યોજવાનો છે તેમ યુનિવર્સિટીનીના શારીરિક શિક્ષણ નિયામક ચિરાગ પટેલ જણાવ્યું હતું.